Kiara Advani Marriage : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કિયારાની સાથે વરુણ ધવન, અનિલ કપૂર (Anil Kapoor), નીતુ કપૂર અને મનીષ પોલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘જુગ જુગ જિયો’(Jug Jug Jeeyo) નું ટ્રેલર રવિવારે એક મોટા સમારંભમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મના સ્ટાર્સે પોતાની ફિલ્મ વિશે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તાજેતરમાં જ પ્રકાશમાં આવેલા કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના બ્રેકઅપના સમાચાર પણ ચર્ચામાં આવ્યા હતા.
મીડિયાએ કિયારાને પૂછ્યું કે તેણે અને સિદ્ધાર્થે અલગ થવાનો નિર્ણય કેમ લીધો અને અભિનેત્રી ક્યારે લગ્ન કરી રહી છે. TOIના અહેવાલ મુજબ, જ્યારે એક પત્રકારે કિયારા અડવાણીને તેના લગ્ન વિશે પૂછ્યું, તો કિયારાનો જવાબ આપતા પહેલા ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેલા કરણ જોહરે કહ્યું કે તમે મારા લગ્ન વિશે કંઈ પૂછ્યું નથી, હું 50 વર્ષનો થવાનો છું. તમને કેમ લાગે છે કે હું લગ્ન માટે લાયક નથી? ભાઈ આપણે પણ લગ્ન કરી શકીએ.
કરણના આ જવાબ પછી વરુણ ધવને પણ પત્રકારને મજાકમાં કહ્યું કે તેરે માં-બાપ આયેંગે, કરણ અને વરુણે પોતપોતાના જવાબો આપ્યા, પરંતુ ઈવેન્ટમાં હાજર દરેક લોકો કિયારા અડવાણીના જવાબની રાહ જોઈ રહ્યા હતા. કરણ અને વરુણની મસ્તી બાદ કિયારાએ પત્રકારને જવાબ આપતા કહ્યું કે તેને વેડિંગ ટેગની જરૂર નથી. અભિનેત્રીએ કહ્યું- હું લગ્ન કર્યા વિના પણ સારી રીતે સેટલ થઈ શકું છું. હું સારી રીતે સેટલ છું, હું કામ કરું છું, કમાઉં છું, ખુશ છું.
તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના અફેરના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી. તેમના અફેરના સમાચારો વચ્ચે તેમના બ્રેકઅપના સમાચારો સામે આવવા લાગ્યા હતા. બંનેના બ્રેકઅપના સમાચાર ઘણા સમયથી જોર પકડી રહ્યા છે. જેમ બંનેએ તેમના સંબંધો પર ક્યારેય કંઈ કહ્યું નથી, તેવી જ રીતે બંનેએ તેમના બ્રેકઅપના સમાચાર પર મૌન સેવ્યું છે.
કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કિયારા એક્ટર કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. આ પછી હવે તેની ફિલ્મ જુગ જુગ જિયો (Jug Jug Jeeyo) પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.