KartikAaryan કોરોના પોઝિટિવ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફેન્સને કરી આ વિનંતી

|

Mar 22, 2021 | 3:55 PM

એક બાદ એક બોલીવૂડના સિતારાને કોરોનાની નજર લાગી રહી હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં બોલીવૂડના એક્ટર કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

KartikAaryan કોરોના પોઝિટિવ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફેન્સને કરી આ વિનંતી
kartik aaryan

Follow us on

એક તરફ દેશમાં કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. અને આની અસર નાના મોટા દરેક વ્યક્તિઓ પર જોવા મળી રહી છે. બોલીવૂડના સિતારાઓ પણ આમાંથી બાકાત રહ્યા નથી. તાજેરતમાં મળેલી માહિતી અનુસાર બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ આવ્યા છે. તાજેતરમાં અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતી વખતે કાર્તિકે લખ્યું કે, “પોઝિટિવ થઇ ગયો, દુઆ કરો.” આ સાથે તેમને ફેન્સને દુઆ કરવા માટે વિનંતી કરી છે.

આપને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ દિવસોમાં ફિલ્મ ભૂલભુલૈયા 2 નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ પણ છે. બે દિવસ પહેલા અભિનેતા લેક્મે ફેશન વીકમાં પણ અભિનેત્રી કિયારા અડવાણી સાથે રેમ્પ વોક કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમેં તે કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં રહેલા લોકો પર પણ જોખમ વધી ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

ભૂલભુલૈયા વિશે વાત કરીએ તો તેનું નિર્દેશન અનીસ બઝ્મી કરી રહ્યા છે. કોવિડને કારણે ફિલ્મનું શૂટિંગ ઘણી વખત વિલંબિત થયું હતું. લોકડાઉન સમાપ્ત થયા પછી આ ફિલ્મનું કામ ફરી શરૂ થઈ ગયું. આ ફિલ્મ 2007 ની હોરર કોમેડી ભૂલભુલૈયાની સિક્વલ છે. તેનું દિગ્દર્શન પણ અનીસે કર્યું હતું જેમાં અક્ષય કુમાર, શાઈની આહુજા, વિદ્યા બાલન અને અમીષા પટેલ હતા.

આ સિવાય કાર્તિક આર્યન નેટફ્લિક્સની ફિલ્મ ધમાકામાં પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પત્રકાર અર્જુન પાઠકનો રોલ કરશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રામ માધવાણી કરશે.આ પહેલા તેઓ નીરજાને ડિરેક્ટ કરી ચૂક્યા છે. તે જ સમયે રોની સ્ક્રુવાલા, અમિતા માધવાણી અને રામ માધવાણીએ આ ફિલ્મને પ્રડ્યુસ કરી છે. ફિલ્મના રિલીઝ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.

જણાવી દઈએ કે બોલીવૂડમાં એક બાદ એક અભિનેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં સતીસ કૌશીકનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જાહેર છે કે કાર્તિકનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેની ફિલ્મના સેટ પર પણ ખળભળાટ મચી જવા પામ્યો અને તેના સંપર્કમાં આવેલા લોકોએ પણ તેમના સ્વસ્થની ચિંતા કરીને કોરોનાનો રીપોર્ટ કરાવવો આવશ્યક બની જશે.

Next Article