કંગના રનૌતને લાગે છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ લાગી શકશે. તેમણે કોવિડ -19 વિશેની એક પોસ્ટ શેર કરી હતી, જેને ઇન્સ્ટાગ્રામ દ્વારા હટાવી લેવામાં આવી છે. આ પહેલા કંગના રનૌતને ટ્વિટર પર સસ્પેન્ડ કરવામાં આવી છે. કંગના રનૌતનો દાવો છે કે તે ઇન્સ્ટાગ્રામ પર એક અઠવાડિયાથી વધુ નહી ટકી શકે. તેમનો દાવો છે કે કોરોના વાયરસથી પીડિત હોવાના સમાચાર ઇન્સ્ટાગ્રામે દૂર કર્યા છે.
ઈન્સ્ટાગ્રામનું કહેવું છે કે કોવિડ -19 ફેન ક્લબે તેમની પોસ્ટને રિપોર્ટ કર્યા છે. કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘ઈન્સ્ટાગ્રામ મારી પોસ્ટને ડિલીટ કરી દીધી છે કારણ કે કોવિડ -19 ફેન ક્લબે મને રિપોર્ટ કરી છે. મતલબ આતંકવાદી અને સામ્યવાદી સહાનુભૂતિ સાંભળી હતી ટ્વિટર પર, પરંતુ કોવિડ -19 ફેન ક્લબ, તે અદ્ભુત છે. ઇન્સ્ટા પર મારે 2 દિવસ થયા છે, પરંતુ મને નથી લાગતું કે હું એક અઠવાડિયાથી વધુ ટકી શકિશ. ‘
આ પહેલા કંગનાએ યોગ પોઝ કરતી વખતે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને કોરોના વાયરસના લક્ષણો છે અને જ્યારે તેમણે તેમનું પરીક્ષણ કરાવ્યું હતું ત્યારે તે પોઝિટિવ આવી હતી. તેમણે આગળ લખ્યું હતું કે ‘મેં મારી જાતને કવોરેન્ટાઈન કરી લીધી છે. મને ખબર નથી કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો હતો. હવે મને ખબર પડી તો હું તેને ખત્મ કરી દઈશ. કોઈને પણ તમારા પર હાવી ન થવા દો. સાથે આવીને આ કોવિડ -19 ને સમાપ્ત કરવો છે. તે કાંઈ નથી બસ એક નાનો તાવ છે, જેને ખૂબ વધારે પબ્લિસિટી મળી ગઈ છે અને હવે તે લોકોના મગજમાં રમી રહ્યો છે.
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ ગત સપ્તાહે કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આવું પોલિસી વાયોલેશનને કારણે કરવામાં આવ્યું છે. કંગના રનૌત સોશિયલ મીડિયા પર પોતાની વાત રાખવા માટે ફેમસ છે.
આ પણ વાંચો :- Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો
આ પણ વાંચો :- હુબહુ માતા જેવી દેખાય છે આ અભિનેત્રીઓ, સારા-અમૃતા સિંહની તસ્વીર જોઈને છેતરાઈ જશો તમે