કંગના રનૌતની વધુ એક ફિલ્મ પરદા પર આવ્યા પહેલા જ વિવાદમાં આવી ચૂકી છે. તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના જીવન પર બાયોપિક બની રહી છે. જેમાં કંગના અભિનય કરી રહી છે. ફિલ્મનું નામ થલાઈવી છે. જેના માટે કંગના પણ ભરતનાટ્યમનો અભ્યાસ કરી રહી છે. આ સાથે લૂક માટે પ્રોસ્થેટિક્સનો પણ ઉપયોગ કર્યો છે. જો કે ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે. જયલલિતાની ભાણજીએ મદ્રાસ હાઈકોર્ટમાં ફિલ્મ પર સ્ટે લગાવવાની માગણી કરી છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં મતદાન સમયે ભારતના એકમાત્ર બૂથ પર એકમાત્ર વોટર એવા ભરતદાસજી બાપુનું નિધન
દીપાએ એફિડેવિટ દ્વારા જણાવ્યું કે, ફિલ્મના ડાયરેક્ટર એ.એલ વિજયએ તેમની સાથે કોઈ સમીક્ષા કરી નથી. દીપાનું કહેવું છે કે, ઘટનાઓ અને કહાનીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે જયલલિતાના જીવનને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો પણ કર્યો છે. દીપાએ પોતાની માગણી સાથે કહ્યું કે, ફિલ્મના ડિરેક્ટરે એ વાતનો વિશ્વાસ અપાવવો પડશે કે, જયલલિતાના જિવનપ્રસંગોને ખોટી રીતે રજૂ કરશે નહીં .
મહત્વનું છે કે, કંગના ફિલ્મમાં અભિનય માટે અમેરિકાના લોસ એન્જલસમાં કામ કરી રહી છે. જે દરમિયાનની એક ફોટો પણ વાઈરલ થયો છે. જેમાં તે થલાઈવી ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અરવિંદ સ્વામી MGRના અભિનયમાં દેખાશે. આ સાથે ફિલ્મમાં પ્રકાશ રાજ પણ કામ કરે તેવી ચર્ચા છે. અને ફિલ્મમાં પ્રકાશ રાજ કરુણાનિધિની ભૂમિકા અદા કરી શકે છે. ફિલ્મ 2020માં પરદા પર આવશે તેવી પણ વાત સામે આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો