AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુબિન નૌતિયાલે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું, કહ્યું- ‘નિકિતા મારી ખૂબ જ પ્રિય…’

જુબિન નૌતિયાલનું (Jubin Nautiyal) તાજેતરમાં રિલીઝ થયેલું ગીત 'મસ્ત નજરો સે અલ્લાહ બચાયે' ખૂબ જ trending થઈ રહ્યું છે. આ ગીતે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ગીત આ દિવસોમાં ચાર્ટબસ્ટર બની રહ્યું છે.

જુબિન નૌતિયાલે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું, કહ્યું- 'નિકિતા મારી ખૂબ જ પ્રિય...'
Jubin & Nikita Dutta (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:02 PM
Share

જુબિન નૌતિયાલ (Jubin Nautiyal) અને નિકિતા દત્તા (Nikita Dutta) વિશે ઘણા સમયથી મીડિયામાં અફવાઓ ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને બંનેએ ગુપ્ત રીતે સગાઈ (Nikita Dutta Engagement) પણ કરી લીધી છે. પરંતુ તે આ વાતને મીડિયામાં જાહેર કરવા માંગતો નથી. જો કે જુબિન આ અહેવાલો પર ભૂતકાળમાં ઘણી વખત પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યો છે, પરંતુ ફરી એકવાર તેણે આ સંબંધ વિશે થોડી વધુ માહિતી આપી છે અને કહ્યું છે કે બંનેનો સંબંધ માત્ર એક સારા મિત્ર તરીકેનો છે, આનાથી વધુ કંઈ જ નથી.

View this post on Instagram

A post shared by Nikita Dutta 🦄 (@nikifying)

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જુબિને નિકિતા વિશે ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. એવી અટકળો છે કે બોલિવૂડ સિંગર જુબિન નૌતિયાલ અભિનેત્રી નિકિતા દત્તા સાથે ગંભીર સંબંધમાં છે. એક જાણીતા અંગેજી અખબારપાત્ર સાથેની વાતચીતમાં, તેમની ખાનગી સગાઈ વિશેની વાતોને ફગાવી દેતા, તેણે કહ્યું કે, આ બધી અફવાઓ છે. નિકિતા મારી ખૂબ જ પ્રિય મિત્ર છે.

‘રાતાન લંબિયા’ (શેરશાહ, 2021) ગાયકે એક વાતચીતમાં કહ્યું કે, આવી અટકળોએ નિકિતા સાથેના તેના સંબંધોને કેવી અસર કરી? આના પર તે કહે છે, બિલકુલ નહીં. તે એક અભિનેત્રી છે અને સમજે છે કે કેવી રીતે તેમના વિષે ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.

સંબંધોની અફવાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી

બીજી તરફ, નૌતિયાલ આવી અફવાઓથી ‘પ્રભાવિત’ થાય છે. 32 વર્ષીય સિંગર કહે છે, “જો હું મુંબઈનો છોકરો હોત તો નાનપણથી જ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે તેનાથી પરિચિત હોત, તો હું મારા અંગત જીવનને સાર્વજનિક કરવા માટે વધુ કન્ડિશન્ડ હોત.” ‘લૂટ ગયે’ સિંગર આગળ કહે છે કે, “હું એક નાના શહેરનો છોકરો છું. હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું, જ્યાં સમાજ શું વિચારશે તે મુખ્ય વિચાર છે. બાળક તરીકે, અમને વ્યક્તિગત બાબતોને ઘરની અંદર રાખવાનું કહેવામાં આવ્યું છે.”

તે આગળ કહે છે કે, જો કે તેના માતા-પિતા અફવાઓથી બેફિકર રહ્યા હતા, પરંતુ તેણે તેના સંબંધીઓને સમજાવવામાં ઘણો સમય પસાર કરવો પડ્યો હતો કે તેણે નિકિતા દત્તા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી નથી. તે અસ્વસ્થ હતો, તેણે એવું કહ્યું, ‘અમને લગ્ન વિશે અખબારમાંથી ખબર પડી’. મારે તેમને કહેવું હતું કે તે માત્ર એક અફવા છે.

જુબિનને પૂછવામાં આવ્યું કે, શું તું લગ્ન કરવા માંગે છે ?? ત્યારે જુબિન નૌતિયાલ સંકેત આપ્યો કે, ”જ્યારે મેં મારી ઉંમર 30થી ઉપર વટાવી હતી, ત્યારે બધા મારી પાછળ હતા ક્યારે હું લગ્ન કરી રહ્યો છું. મને નથી લાગતું કે મારા જેવા વ્યક્તિના અતિ વ્યસ્ત શેડ્યૂલ સાથે આ ગમે ત્યારે જલ્દી થશે. હવે મારી કારકિર્દી પર ખરેખર સખત મહેનત કરવાનો સમય છે અને કદાચ થોડા વર્ષો પછી, હું કદાચ લગ્ન કરીશ..”

‘મસ્ત નજરોં સે અલ્લાહ બચાયે’ ગીતમાં બંને સાથે હતા

જુબિન નૌતિયાલનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ‘મસ્ત નજરોં સે અલ્લાહ બચાયે’ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જુબિનના મધુર અવાજમાં ગવાયેલું આ ગીત નિકિતા દત્તા અને જુબિન પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં હિમાંશ કોહલી અને અનુષ્કા સેન પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો – શોકિંગ : રણબીર કપૂર-આલિયા ભટ્ટના થયા બીજીવાર લગ્ન, નોરા ફતેહી જોડાઈ લગ્નની જાનમાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">