Jacqueline Fernandez એ અયોધ્યામાં ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાનો માણ્યો આનંદ, ‘ramsetu’ નો પણ કર્યો પ્રચાર

|

Mar 20, 2021 | 2:05 PM

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ રામ સેતુના મુહૂર્તા માટે અક્ષય કુમાર અને નુશરત ભરૂચા સાથે અયોધ્યામાં હતી. આ પ્રસંગે સેટ પરથી ઘણા ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, જ્યાં જેક્લીન ફર્નાન્ડિઝ પરંપરાગત અવતારમાં જોવા મળી શકે છે.

Jacqueline Fernandez એ અયોધ્યામાં ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાનો માણ્યો આનંદ, ramsetu નો પણ કર્યો પ્રચાર
Jacqueline Fernandez, Akshay Kumar, Nushrat Bharucha

Follow us on

ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) રામ સેતુ (ramsetu )ના મુહૂર્ત માટે શ્રી અયોધ્યામાં હતી.આ પ્રસંગની મજા માણતી વખતે તેમણે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો આનંદ માણ્યો હતો. તેમણે ઘણા સ્થાનિક ખોરાક પણ ખાધા હતા. આ પ્રસંગે તે ડાયટને પણ ભૂલી ગયા હતા.

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ રામ સેતુના મુહૂર્ત માટે અક્ષય કુમાર અને નુસરત ભરૂચાના સાથે અયોધ્યામાં હતા. આ પ્રસંગે સેટ પરથી ઘણા ચિત્રો વાયરલ થયા છે, જેમાં જેકલીન ફર્નાન્ડિઝ પરંપરાગત અવતારમાં જોવા મળી શકે છે. તેમણે સફેદ રંગનો કુર્તા પહેર્યો હતો. આ પ્રસંગે તેમને કાળો ચાંદલો અને લાઇટ મેક અપ કર્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

જેકલીન ફર્નાન્ડિઝે પણ મુહૂર્તાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.જેક્લિન ફર્નાન્ડિઝે લખ્યું કે, ‘મેં ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાનો આનંદ માણ્યો છે. ઘણા ધર્મોના લોકો અહીં રહે છે અને દરેકની પોતાની માન્યતા છે જે ખૂબ રસપ્રદ છે. મારો વ્યવસાયને કારણે દેશના ઘણા ખૂણામાં જઈ આવી છું, જ્યાં મને સ્થાનિક પરંપરાઓ વિશે જાણવાની તક મળે છે. ‘જેક્લીન સાથે સંકળાયેલા એક સ્ત્રોતે કહ્યું,’ મુહૂર્તાના સમયે તેમને અયોધ્યાની મુલાકાત લેવાની તક પણ મળી. આ પ્રસંગે જેક્લિનને સ્થાનિક સંસ્કૃતિ અને સભ્યતાનો ખૂબ આનંદ માણ્યો તેમણે ચિકનકારી કુર્તી અને પોશાકો પણ ખરીદ્યો છે.

 

 

 

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જેકલીન તેમના આહાર વિશે ખૂબ જાગૃત છે. તેમ છતાં, તે અયોધ્યાના ખોરાક અને ચાટના ચક્કરમાં પોતાની ડાઈટ પણ ભૂલી ગઈ હતી. તેમણે સમોસા ચાટ, બિરયાની અને ઘણી મીઠાઈઓ ખાધી હતી. જ્યારે મુહૂર્ત થઈ રહ્યું હતું ત્યારે ઘણા સ્થાનીક લોકો પણ ફર્નાન્ડિઝને મળવા આવ્યા હતા. બચ્ચન પાંડેના શૂટિંગ દરમિયાન જેકલીન જેસલમેરમાં હતી અને રાજસ્થાની ભોજનની મજા માણી હતી. જેક્લીન એક ફિલ્મ અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ ફિલ્મોને લઈને ચર્ચામાં જેકલીન

જો કે, ‘રામ સેતુ’ સિવાય, જેક્લીન પાસે પણ ઘણી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં તે અક્ષયની સાથે ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં પણ જોવા મળશે. આ પછી તે સૈફ અલી ખાન અને અર્જુન સાથે ‘ભૂત પોલીસ’, સલમાન ખાન સાથેની ‘કિક 2’, રણવીર સિંહ સાથેની ‘સર્કસ’ અને જોન અબ્રાહમ સાથે ‘એટેક’માં પણ જોવા મળશે.

Next Article