પ્રિયંકા અને નિક જોનાસ છૂટાછેડા લઈ રહ્યા છે ? પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી જોનાસ સરનેમ હટાવી

પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે, જેમાં તેઓએ સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

પ્રિયંકા અને નિક જોનાસ છૂટાછેડા લઈ રહ્યા છે ? પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી જોનાસ સરનેમ હટાવી
Priyanka And Nick
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:05 PM

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સ્ટાર નિક જોનાસ (Nick Jonas) અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા જોવા મળે છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્નમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આ અહેવાલો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે વાયરલ થયા જ્યારે પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જોનાસની અટક હટાવી દીધી.

જો પ્રિયંકા અને નિક વચ્ચે બધુ બરાબર છે, તો શું થયું કે અભિનેત્રીને તેના નામની પાછળથી નિક જોનાસની અટક હટાવવી પડી? દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે તેના પાછળનું કારણ શું છે? તમને જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા જોનાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ચિંતામાં મુકી દીધા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું નિક અને પ્રિયંકા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે? પ્રિયંકાના આ પગલા પછી તેના અને નિક જોનાસના ચાહકોને એવું લાગવા લાગ્યું છે કે બંને છૂટાછેડા લેવાના છે ? જો કે, આ અહેવાલોને સાચા માનતા પહેલા, તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ ભલે તેના નામની પાછળ જોનાસને હટાવી દીધો હોય, પરંતુ પ્રિયંકા અને નિક હજુ પણ એક બીજાને Instagram પર ફોલો કરી રહ્યાં છે. જો બંને વચ્ચે કંઇક બરાબર ન હોય તો કદાચ બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા હોત.

હાલમાં, પ્રિયંકાએ તેની અટકમાંથી નિક જોનાસનું નામ શા માટે દૂર કર્યું છે તે અંગે કોઈ અભિપ્રાય બનાવવો ખૂબ જ વહેલું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 1 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયા હતા. હાલમાં જ બંનેએ સાથે મળીને એક મોટું ઘર ખરીદ્યું છે, જેમાં તેઓએ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીનો ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું કે અમારા બંનેના પહેલા ઘરમાં અમારી પહેલી દિવાળી. આ દિવાળી હંમેશા ખાસ રહેશે. આ સાંજને આનંદમય બનાવવા બદલ આપ સૌનો આભાર.

આ પણ વાંચો : તમે પણ લગ્નમાં કંઈક નવા રંગનો લહેંગો પહેરવા ઈચ્છો છો તો ટ્રાય કરો અનુષ્કા રંજનનો લુક, જુઓ Photos

આ પણ વાંચો : Mumbai : અભિનેત્રી કંગના રનૌતના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા, વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">