AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12 વિવાદને અભિજિત ભટ્ટાચાર્યે ગણાવ્યું વાતનું વતેસર, બોલ્યા ‘મેં જાતે અમિત કુમાર સાથે વાત કરી હતી’

પ્રખ્યાત સિંગર અભિજિત ભટ્ટાચાર્યે (Abhijeet Bhattacharya) પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિજિત કહે છે કે ' કોઈ વિવાદ હતો જ નહીં, વાતનું વતેસર કરવામાં આવ્યું'.

Indian Idol 12 વિવાદને અભિજિત ભટ્ટાચાર્યે ગણાવ્યું વાતનું વતેસર, બોલ્યા 'મેં જાતે અમિત કુમાર સાથે વાત કરી હતી'
Abhijeet Bhattacharya
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 11, 2021 | 4:52 PM
Share

થોડાક દિવસોથી, ‘ઇન્ડિયન આઇડલ 12’ (Indian Idol) ને લઈને એક વિવાદ થયો હતો જ્યારે કિશોર કુમારના પુત્ર અમિત કુમારે નિવેદન આપ્યું હતું કે નિર્માતાઓએ તેમને બળજબરીથી સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહ્યું હતું. અમિતના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો. આ મામલે ઘણા ગાયકોએ તેમની જુદી જુદી પ્રતિક્રિયા આપી હતી.

આ સાથે જ પ્રખ્યાત સિંગર અભિજિત ભટ્ટાચાર્યે (Abhijeet Bhattacharya) પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિજિત કહે છે કે ‘ કોઈ વિવાદ હતો જ નહીં, વાતનું વતેસર કરવામાં આવ્યું’.

એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં અભિજિતે કહ્યું હતું કે, ‘કોઈ વિવાદ હતો જ નહીં. મેં ખુદ આ બાબતે અમિત કુમાર સાથે વાત કરી હતી, પહેલી વાત કે તેમણે કેમેરા સામે નિવેદન આપ્યું ન હતું. તેમનો આ પ્રકારનો કોઈ વીડિયો અથવા ઓડિયો નહોતો, લોકોએ તેના પર વિશ્વાસ કરી લીધો જે પ્રિન્ટ મીડિયામાંથી બહાર આવ્યું છે. આ બધું ફક્ત વાતનું વતેસર કરવાનું હતું.

શું કહ્યું હતું અમિત કુમારે…

કિશોર કુમાર વિશેષ એપિસોડ બાદ, અમિત કુમારે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં કહ્યું કે, ‘સત્ય એ છે કે કોઈ પણ કિશોર કુમારની જેમ ગાઈ શક્તું નથી. આજના લોકોને તેમના વિશે કોઈ ખ્યાલ નથી. તેઓ ફક્ત ‘રૂપ તેરા મસ્તાના’ ને જાણે છે. મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું. મને કહ્યું કે મારે ત્યાં દરેકની પ્રશંસા કરવાની છે, પછી ભલે કોઈ ગમે તેવું ગાતા હોય, કારણ કે તે કિશોર દા માટે શ્રદ્ધાંજલિ હતી.

મેં તેમને અગાઉ મને સ્ક્રિપ્ટના કેટલોક ભાગ બતાવવા કહ્યું હતું, પરંતુ તે કરવામાં આવ્યું નહી. ‘ પૈસાની જરૂરત દરેકને હોય છે, તેઓએ મને તેટલા પૈસા આપ્યા હતા જેટલા મેં માગ્યા હતા. તો હું ત્યાં કેમ ન જાવ. બસ, હું એક વાત કહેવા માંગુ છું કે, જો હવે પછી કિશોરકુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, તો આવું કંઇ ન થવું જોઈએ.’

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">