AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ

કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ
લતા મંગેશકર
Charmi Katira
| Edited By: | Updated on: Apr 05, 2021 | 1:20 PM
Share

કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે. સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લા ઘણા સમયથી લતા મંગેશકર (Lata Mangeshkar) ભલે સંગીતની દુનિયાથી દૂર હોય પરંતુ દર્શકોના દિલમાં તો જગ્યા આજે પણ કાયમ છે. લતા મંગેશકરે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લતા મંગેશકરે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આદિત્ય નારાયણ હાલમાં જ કોરોનાથી સંક્રમિત થયો છે. લતા મંગેશકરે કોરોના વાયરસ વિશે કહ્યું છે, ‘આ ખૂબ જ ખરાબ છે અને આ માટે આપણે જ દોષી છે. ઘણા લોકો દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યાં નથી, માસ્ક પહેરી રહ્યા નથી, પાર્ટીઓમાં હાજરી આપી રહ્યા છે. સેંકડો મહેમાનો સાથે મોટા લગ્નનું આયોજન કરી રહ્યા છે. આપણે નિયમોના ધજાગરા ના ઉડાડવા જોઈએ પરંતુ તેનું પાલન કરવું જોઈએ.

આદિત્ય નારાયણ માટે ચિંતા વ્યક્ત કરતાં લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય પણ કોરોનાથી સંક્રમિત છે. નાના બાળકો પણ સંવેદનશીલ છે. વાયરસ કેવી રીતે આપણા શરીરમાં આવે છે તે નિશ્ચિત નથી આઇસોલેશન એક માત્ર ઉપાય છે. આ સાથે જ પોતાનો ખ્યાલ કેવી રીતે રાખે છે તે વિષે પણ કહ્યું હતું

લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘મારા રૂમમાં ફક્ત મારા પરિવારના સભ્યોને જ આવવાની મંજૂરી છે. મને તે લોકો તરફથી મળવાનું યાદ છે જેઓ મારા માટે ખાસ છે. પરંતુ સુરક્ષા બધા કરતા વધુ મહત્વની છે. હું આ દેશના લોકોને આગ્રહ કરું છું કે જાહેરમાં માસ્ક પહેરવા, નિયમિત સ્વચ્છતા કરવા અને વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરું છું. આપણે આ વાયરસ સામે લડવું પડશે અને તેને હરાવવા પડશે. ‘

લતા મંગેશકરના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગાયક આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. આદિત્ય નારાયણે આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">