કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ

કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ
લતા મંગેશકર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 05, 2021 | 1:20 PM

કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે. સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લા ઘણા સમયથી લતા મંગેશકર (Lata Mangeshkar) ભલે સંગીતની દુનિયાથી દૂર હોય પરંતુ દર્શકોના દિલમાં તો જગ્યા આજે પણ કાયમ છે. લતા મંગેશકરે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લતા મંગેશકરે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આદિત્ય નારાયણ હાલમાં જ કોરોનાથી સંક્રમિત થયો છે. લતા મંગેશકરે કોરોના વાયરસ વિશે કહ્યું છે, ‘આ ખૂબ જ ખરાબ છે અને આ માટે આપણે જ દોષી છે. ઘણા લોકો દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યાં નથી, માસ્ક પહેરી રહ્યા નથી, પાર્ટીઓમાં હાજરી આપી રહ્યા છે. સેંકડો મહેમાનો સાથે મોટા લગ્નનું આયોજન કરી રહ્યા છે. આપણે નિયમોના ધજાગરા ના ઉડાડવા જોઈએ પરંતુ તેનું પાલન કરવું જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આદિત્ય નારાયણ માટે ચિંતા વ્યક્ત કરતાં લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય પણ કોરોનાથી સંક્રમિત છે. નાના બાળકો પણ સંવેદનશીલ છે. વાયરસ કેવી રીતે આપણા શરીરમાં આવે છે તે નિશ્ચિત નથી આઇસોલેશન એક માત્ર ઉપાય છે. આ સાથે જ પોતાનો ખ્યાલ કેવી રીતે રાખે છે તે વિષે પણ કહ્યું હતું

લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘મારા રૂમમાં ફક્ત મારા પરિવારના સભ્યોને જ આવવાની મંજૂરી છે. મને તે લોકો તરફથી મળવાનું યાદ છે જેઓ મારા માટે ખાસ છે. પરંતુ સુરક્ષા બધા કરતા વધુ મહત્વની છે. હું આ દેશના લોકોને આગ્રહ કરું છું કે જાહેરમાં માસ્ક પહેરવા, નિયમિત સ્વચ્છતા કરવા અને વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરું છું. આપણે આ વાયરસ સામે લડવું પડશે અને તેને હરાવવા પડશે. ‘

લતા મંગેશકરના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગાયક આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. આદિત્ય નારાયણે આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">