Aamir Khan ની સોશિયલ મીડિયાને અલવિદા, બીજા માધ્યમથી ચાહકોને મળશે વિગતો

|

Mar 15, 2021 | 6:49 PM

આમિર ખાને ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને અલવિદા કહી દીધુ છે. તેની પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી,

Aamir Khan ની સોશિયલ મીડિયાને અલવિદા, બીજા માધ્યમથી ચાહકોને મળશે વિગતો
Aamir Khan

Follow us on

Aamir Khan ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને અલવિદા કહી દીધુ છે. આમિરે આ કેમ કર્યું તેની પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ હવે અભિનેતાને લગતી માહિતી ચાહકોને કોઈ બીજા માધ્યમથી મળશે.

આમિર ખાને ઈન્સ્ટાગ્રામ પર નિવેદન બહાર પાડ્યું અને લખ્યું, ‘મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને હૂંફ બદલ આભાર. મારું હૃદય ભરાઈ ગયું છે બીજો સમાચાર એ છે કે સોશિયલ મીડિયા પરની આ મારી છેલ્લી પોસ્ટ હશે. જોકે હું આ માધ્યમ પર વધારે સક્રિય નથી, તો મેં તેમનાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આપણે તેવી રીતે જ વાત કરીશુ જેમ પહેલા કરતા.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આમિર આગળ લખે છે, ‘આ સાથે AKP (આમિર ખાન પ્રોડક્શન) એ તેની ઓફિશિયલ ચેનલ બનાવી છે, તો પછી ભવિષ્યમાં તમને મારી ફિલ્મ્સના અપડેટ્સ @akppl_official પરથી જ મળશે. ઘણો પ્રેમ.’ આમિરે સોશિયલ મીડિયાને ચાર વર્ષમાં જ વિદાય આપી દીધી છે. જો કે, તે પહેલાં આ માધ્યમ પર ખૂબ સક્રિય નહોતા.

આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની વાયાકોમ 18 ની પાસે આ એકમાત્ર ફિલ્મ છે.

Next Article