Aamir Khan ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને અલવિદા કહી દીધુ છે. આમિરે આ કેમ કર્યું તેની પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ હવે અભિનેતાને લગતી માહિતી ચાહકોને કોઈ બીજા માધ્યમથી મળશે.
આમિર ખાને ઈન્સ્ટાગ્રામ પર નિવેદન બહાર પાડ્યું અને લખ્યું, ‘મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને હૂંફ બદલ આભાર. મારું હૃદય ભરાઈ ગયું છે બીજો સમાચાર એ છે કે સોશિયલ મીડિયા પરની આ મારી છેલ્લી પોસ્ટ હશે. જોકે હું આ માધ્યમ પર વધારે સક્રિય નથી, તો મેં તેમનાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આપણે તેવી રીતે જ વાત કરીશુ જેમ પહેલા કરતા.
આમિર આગળ લખે છે, ‘આ સાથે AKP (આમિર ખાન પ્રોડક્શન) એ તેની ઓફિશિયલ ચેનલ બનાવી છે, તો પછી ભવિષ્યમાં તમને મારી ફિલ્મ્સના અપડેટ્સ @akppl_official પરથી જ મળશે. ઘણો પ્રેમ.’ આમિરે સોશિયલ મીડિયાને ચાર વર્ષમાં જ વિદાય આપી દીધી છે. જો કે, તે પહેલાં આ માધ્યમ પર ખૂબ સક્રિય નહોતા.
આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની વાયાકોમ 18 ની પાસે આ એકમાત્ર ફિલ્મ છે.