તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltah chashmah) ફેમ દિલીપ જોશીની (Dilip joshi) પુત્રી નિયતિના (Niyati Joshi) તાજેતરમાં જ લગ્ન થયા છે. દરેક સ્ટાર્સ કે તેમના બાળકોના લગ્નની ચર્ચાઓ ચારેબાજુ થવી એ સામાન્ય બાબત છે. પરંતુ દિલીપ જોશીની પુત્રી એક અલગ જ કારણના કારણે ચર્ચામાં છવાયેલી હતી. ખરેખર નિયતિએ લગ્નમાં પોતાના વાળ કલર ન હતો કર્યા અને ખૂબ જ હિંમત પૂર્વક પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારી. લગ્ન સમારોહની તસવીરોમાં નિયતિના વાળના રંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લગ્નમાં આ રીતે સફેદ વાળ રાખવા બદલ કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી. આ મજાક ઉડાવતા લોકોને દિલીપ જોશીએ કરારો જવાબ આપ્યો.
દિલીપ જોશીએ આપ્યો જવાબ
એક મીડિયા કંપનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, “તે લગ્નમાં જે રીતે પોતાના વાળ રાખવા માંગતી હતી તેણે તે રીતે રાખ્યા. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો આના પર પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં ક્યારેય તેની ચર્ચા થઈ ન હતી. ઘણા લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, જેનાથી મને આનંદ થયો કે મારી પુત્રીએ અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. દિલીપ જોશીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જેવા છીએ તેવા લોકોની સામે આવવું જોઈએ.”
નિયતિએ તેના બોયફ્રેન્ડ યશવર્ધન મિશ્રા સાથે 11 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. યશવર્ધન એક જાણીતા લેખક અને દિગ્દર્શક છે. તેમના પિતા અશોક મિશ્રા પણ પ્રખ્યાત લેખક છે. નિયતિ અને યશવર્ધન કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તારક મહેતાની આખી કાસ્ટ આ લગ્નની ઉજવણીમાં સામેલ થઈ હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –