Coronavirus સંકટ વચ્ચે Dia Mirza ની સગર્ભા સ્ત્રીઓ માટે વધી ચિંતા, વેક્સિન લેવા વિશે કહી આ વાત
દિયા મિર્ઝા સોશિયલ મીડિયાની એક એક્ટિવ એક્ટ્રેસ છે. તે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર પોતાની રાય રાખવાની સાથે ચાહકો માટે ખાસ ચિત્રો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
કોરોના વાયરસનો કહેર લગાતાર ચાલુ છે. તેનાથી બચવા માટે દરરોજ લોકોને રસી પણ આપવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કોરોના વાયરસ રોગચાળામાં આ મહિલાઓની સુરક્ષા પર ભાર મૂકવાની વાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ વાત કહી છે.
દિયા મિર્ઝા સોશિયલ મીડિયાની એક એક્ટિવ એક્ટ્રેસ છે. તે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર પોતાની રાય રાખવાની સાથે ચાહકો માટે ખાસ ચિત્રો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગયા મહિને, દિયા મિર્ઝાએ પોતાની ગર્ભાવસ્થા વિશે જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં, તેમની સગર્ભા સ્ત્રીઓને લઈને અધિક ચિંતા વધી ગઈ છે. આટલું જ નહીં, અભિનેત્રીએ એ વાતનો ખુલાસો પણ કર્યો છે કે તેમના ડોક્ટરે હમણા કોરોના વાયરસની રસી ન લેવાની સલાહ આપી છે.
આ વાત દિયા મિર્ઝાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વાર કહી છે. દિયા મિર્ઝાએ કોરોના રોગચાળાની વચ્ચે સગર્ભા સ્ત્રીઓ માટે ચિંતા વ્યક્ત કરતી ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘આ ખૂબ મહત્વનું છે. વાંચો અને ધ્યાનમાં રાખો કે ભારતમાં હાલમાં લગાવામાં આવતી કોઈ પણ વેક્સિનનું સગર્ભા અને સ્તનપાન કરાવતી માતા પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી. ‘
This is really important. Must read and also note that none of the vaccinations currently being used in India have been tested on pregnant and lactating mothers. My doctor says we cannot take these vaccines until required clinical trials have been done. https://t.co/eDtccY54Z1
— Dia Mirza (@deespeak) May 16, 2021
આટલું જ નહીં, દિયા મિર્ઝાએ પણ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે તેમના ડોકટરે હમણાં કોઈ પણ પ્રકારની કોરોના રસી લેવાની ના પાડી છે. અભિનેત્રીએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે, “મારા ડોકટરે કહ્યું છે કે આ રસી આપણે ત્યાં સુધી નથી લઈ શકતા જ્યા સુધી ક્લિનિકલ ટ્રાયલ ન થઈ જાય.”
સોશિયલ મીડિયા પર દિયા મિર્ઝાનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ટ્વિટને પસંદ કરી રહ્યા છે. સાથે કમેન્ટ કરીને તેમની પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે દિયા મિર્ઝાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે હિન્દુ રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના આ બીજા લગ્ન છે. તે જ સમયે, લગ્નના દોઢ મહિના પછી, દિયા મિર્ઝાએ તેમની ગર્ભાવસ્થા જાહેર કરી હતી. તેમણે બેબી બમ્પ સાથેની પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું કે, ‘ ધરતી માંની સાથે માં બનીને હું ખુદકિસ્મત છું. એક જીવન આપવાની શક્તિ, જે દરેક વસ્તુની શરૂઆત છે. બધી વાર્તાઓની. લોરિયોની. ગીતોની. અને, આશાની ઝાંખી છે. પોતાના ગર્ભાશયમાં આ સૌથી પવિત્ર સ્વપ્નને પાળવું ખુશનસીબી છે.’