કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દેશમાં શોકની લહેર, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

કોમેડી કિંગના રાજુ શ્રીવાસ્તવના નિધનને પગલે વડાપ્રધાન મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દેશમાં શોકની લહેર, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Raju Shrivastav Death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 1:35 PM

કોમેડીયન રાજુ શ્રીવાસ્તવનું  (Comedian Raju Srivastav)નિધન થયું છે. તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન કોમેડીયનને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે અંતિમ શ્વાસ લીધા છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav)મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi)  કોમેડી કિંગના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી અમારા જીવનને ઉજ્જવળ બનાવ્યું. તે બહુ જલ્દી આપણને છોડીને ચાલ્યા જાય છે પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્યને કારણે તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવતા રહેશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ….

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શોક વ્યક્ત કરતા લખ્યું કે,પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક વિશિષ્ટ શૈલી હતી, તેમણે તેમની અદભૂત પ્રતિભાથી દરેકને પ્રભાવિત કર્યા હતા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શાંતિ….

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)શોક વ્યક્ત કરતા લખ્યું કે,જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ !

AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, મશહુર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું ખૂબ જ દુઃખદ અવસાન. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.

BJP ના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad )ટ્વિટ કરીને લખ્યું, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું નિધન એ કલા જગત માટે મોટી ખોટ છે. આ કપરા સમયમાં દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને ધીરજ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા, જેમણે પોતાની કલાથી રમૂજને નવો રંગ આપ્યો. હસતા-હસતા તમે એવી રીતે ચાલ્યા ગયા કે મનોરંજનની દુનિયામાં ક્યારેય ન ભરાય એવી વિશાળ શૂન્યાવકાશ છોડી ગયા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">