કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દેશમાં શોકની લહેર, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
કોમેડી કિંગના રાજુ શ્રીવાસ્તવના નિધનને પગલે વડાપ્રધાન મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.
કોમેડીયન રાજુ શ્રીવાસ્તવનું (Comedian Raju Srivastav)નિધન થયું છે. તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન કોમેડીયનને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે અંતિમ શ્વાસ લીધા છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav)મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ (PM Modi) કોમેડી કિંગના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી અમારા જીવનને ઉજ્જવળ બનાવ્યું. તે બહુ જલ્દી આપણને છોડીને ચાલ્યા જાય છે પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્યને કારણે તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવતા રહેશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ….
Raju Srivastava brightened our lives with laughter, humour and positivity. He leaves us too soon but he will continue to live in the hearts of countless people thanks to his rich work over the years. His demise is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/U9UjGcfeBK
— Narendra Modi (@narendramodi) September 21, 2022
ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શોક વ્યક્ત કરતા લખ્યું કે,પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક વિશિષ્ટ શૈલી હતી, તેમણે તેમની અદભૂત પ્રતિભાથી દરેકને પ્રભાવિત કર્યા હતા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શાંતિ….
सुप्रसिद्ध हास्य कलाकार राजू श्रीवास्तव जी का एक विशिष्ट अंदाज था, उन्होंने अपनी अद्भुत प्रतिभा से सभी को प्रभावित किया। उनका निधन कला जगत के लिए एक बड़ी क्षति है। मैं उनके परिजनों व प्रशंसकों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। ॐ शांति शांति
— Amit Shah (@AmitShah) September 21, 2022
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)શોક વ્યક્ત કરતા લખ્યું કે,જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ !
सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी के निधन से मुझे गहरा दुःख हुआ है। वे एक मंझे हुए कलाकार होने के साथ-साथ एक बेहद ज़िंदादिल इंसान भी थे। सामाजिक क्षेत्र में भी वे काफ़ी सक्रिय रहते थे। उनके शोकाकुल परिवार एवं प्रशंसकों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूँ।ॐ शान्ति!
— Rajnath Singh (@rajnathsingh) September 21, 2022
AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, મશહુર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું ખૂબ જ દુઃખદ અવસાન. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.
मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव जी का निधन बेहद दुखद। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। इस दुख की घड़ी में उनके परिजनों एवं सभी प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ। pic.twitter.com/l7cPK1bCAS
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2022
BJP ના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad )ટ્વિટ કરીને લખ્યું, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું નિધન એ કલા જગત માટે મોટી ખોટ છે. આ કપરા સમયમાં દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને ધીરજ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.
मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव के निधन का दुःखद समाचार प्राप्त हुआ। उनका जाना कला जगत के लिए अपूरणीय क्षति है। ईश्वर से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान व शोकाकुल परिजनों एवं प्रशंसकों को इस कठिन घड़ी में धैर्य प्रदान करें।
— Ravi Shankar Prasad (@rsprasad) September 21, 2022
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા, જેમણે પોતાની કલાથી રમૂજને નવો રંગ આપ્યો. હસતા-હસતા તમે એવી રીતે ચાલ્યા ગયા કે મનોરંજનની દુનિયામાં ક્યારેય ન ભરાય એવી વિશાળ શૂન્યાવકાશ છોડી ગયા.
अपनी कला से हास्य को नया रंग देने प्रसिद्ध कॉमेडियन राजू श्रीवास्तव जी के निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ।
हंसते-हंसाते आप ऐसे चले गये कि मनोरंजन जगत में कभी न भरने वाला एक बड़ा शून्य छोड़ गये।
अपने विनोद, ऊर्जा और हास्य के लिए आप सदैव याद आते रहेंगे।
।। ॐ शांति ।। pic.twitter.com/GEtoDfOD5M
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 21, 2022