
બૉલીવુડની ફેમસ કોમેડી ફ્રેન્ચાઇઝી ‘Hera Pheri 3’ ઘણા સમયથી ચર્ચામાં છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીના ત્રીજા પાર્ટને લઈને ફેન્સ પણ આતુર છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે, ‘હેરા ફેરી 3’ (Hera Pheri 3) ને પ્રિયદર્શન ડાયરેક્ટ કરવાના છે. બાદમાં એ કન્ફર્મ થઈ ગયું કે, ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન નથી કરી રહ્યા. એવામાં સવાલ એ છે કે, પ્રિયદર્શને ‘હેરા ફેરી 3’ થી અંતર કેમ જાળવ્યું?
પ્રિયદર્શને પોતાના કરિયરમાં ઘણી યાદગાર અને કલ્ટ ક્લાસિક ફિલ્મો બનાવી છે, જેમાં ‘હેરા ફેરી’નું નામ પણ જોડાયેલ છે. પ્રિયદર્શને આ પ્રોજેક્ટથી પોતાને અલગ કરવાનું મોટું કારણ જાહેર કર્યું. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયદર્શને આનું કારણ આપતા કહ્યું કે, તેઓ પોતાની ફિલ્મોની સીક્વલ ખુદ નથી બનાવતા. તેમના મુજબ ‘હેરા ફેરી’ ની વાર્તા પહેલા પાર્ટમાં એકદમ કમ્પ્લીટ હતી.
” You are trying to Exploit the franchise ” ⚠️⚠️⚠️#Priyadarshan On Not Directing #AkshayKumar ‘s #HeraPheri3
“I am not making the sequel of my own films. Other people are making the sequels of my films. I never made it. I always believe that Hera Pheri was born, the… pic.twitter.com/bqXxSrJxSk
— Always Bollywood (@AlwaysBollywood) September 2, 2026
તેમણે કહ્યું કે, તેમના માટે ‘હેરા ફેરી’ નો પહેલો પાર્ટ એક એવી ફિલ્મ હતી, જેણે મેજિક ક્રિએટ કર્યું. પ્રિયદર્શનને લાગે છે કે, બીજો પાર્ટ તે સ્તરને કાયમ રાખી શક્યો નહોતો અને ત્રીજા પાર્ટને લઈને પણ તેમને એ જ ડર છે કે, ક્યાંક તે ફિલ્મની ફ્રેન્ચાઇઝીને નુકસાન ન પહોંચાડી દે. પ્રિયદર્શનનું માનવું છે કે, હવે આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક ફક્ત તેની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા જેવો હોઈ શકે છે.
પ્રિયદર્શનની વાત સાથે બોમન ઈરાનીએ પણ સહમતી દર્શાવી, જે તે સમયે ત્યાં હાજર પણ હતા. બોમન ઈરાની ટૂંક સમયમાં ‘ખોસલા કા ઘોસલા 2’ માં જોવા મળશે, જે વર્ષ 2006 માં આવેલી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ ની સીક્વલ છે.
બોમને કહ્યું કે, જ્યારે કોઈ ફિલ્મ પોતાના સમયમાં સફળ થાય છે, ત્યારે તેની પાછળ એક ખાસ પ્રકારનું જાદુ હોય છે. તેમનું માનવું છે કે, સિનેમામાં તે જાદુને ફરીથી એ જ રીતે બનાવવો શક્ય નથી હોતો. અભિનેતાએ કહ્યું કે, તેઓ પ્રિયદર્શનની વાત સાથે સહમત છે.