AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ, મહિને કમાય છે 50 લાખ, 43 કરોડની સંપતિનો છે માલીક

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. આ સિવાય તે કમાણીમાં પણ કોઈથી ઓછા નથી. આજે આયુષ્માનના જન્મદિવસે, અમે તમને અભિનેતાની નેટવર્થ વિશે જણાવીએ.

આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ, મહિને કમાય છે 50 લાખ, 43 કરોડની સંપતિનો છે માલીક
Ayushman Khurana
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 4:04 PM
Share

આયુષ્માન ખુરાનાનો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેમનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે. તેમના પિતા પી.ખુરાના એક પ્રખ્યાત જ્યોતિષ છે અને તેમની માતા ઘરેલુ મહિલા છે. તેમને એક ભાઈ પણ છે.

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) તે અભિનેતાઓમાંથી એક છે જેમની ફેન ફોલોઈંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આયુષ્માન માત્ર એક સારા અભિનેતા જ નથી પણ એક મહાન ગાયક અને ટીવી હોસ્ટ પણ છે. ફિલ્મ વિક્કી ડોનર (Vicky Donor) થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આયુષ્માન એક પછી એક હિટ ફિલ્મ આપી રહ્યા છે અને તેની દરેક ફિલ્મો શાનદાર કમાણી કરે છે. આ જ કારણ છે કે આયુષ્માનનો પગાર અને નેટવર્થ પણ વધી રહ્યું છે.

એક અહેવાલ મુજબ, આયુષ્માન સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંનો એક છે. અભિનેતાની કુલ સંપત્તિ 43 કરોડ છે. આયુષ્માનનો માસિક સેલરી 50 લાખથી વધુ અને વર્ષની સેલરી 6 કરોડથી વધુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013 અને 2019 માં આયુષ્માનનું નામ ફોર્બ્સ ઈન્ડિયન સેલિબ્રિટીની યાદીમાં સામેલ હતું.

ઘર

એક અહેવાલ મુજબ, આયુષ્માન મુંબઈમાં 4000 ચોરસ ફૂટના વૈભવી મકાનમાં ભાડે રહે છે, જેના માટે તે દર મહિને 5.25 લાખ ચૂકવે છે. આ ઘરમાં 7 બેડરૂમ છે. આ સિવાય આયુષ્માનનું મુંબઈ અને ચંદીગઢમાં પણ ઘર છે.

કાર

આયુષ્માન પાસે સારા વૈભવી વાહનોનો સંગ્રહ છે. તેની પાસે ઓડી A6, BMW 5 સિરીઝ કાર, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ જેવા વાહનો છે.

ઈન્વેસ્ટમેન્ટ

અહેવાલો અનુસાર, આયુષ્માને વીમા અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે.

કેટલી લે છે ફી

આયુષ્માન એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા લે છે. તે જ સમયે, આયુષ્માન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આયુષ્માન ટીવી શોમાં એપિસોડ માટે પણ મોટી રકમ લે છે.

આયુષ્માનની ફિલ્મો

આયુષ્માન છેલ્લે વર્ષ 2020 માં ફિલ્મ ગુલાબો સીતાબો (Gulabo Sitabo) માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં આયુષ્માન સાથે અમિતાભ બચ્ચન (Amitabh bachchan) મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં બંને મોટા સ્ટાર્સ હોવા છતા પણ તે કામ કરી શકી નહતી.

અત્યારે આયુષ્માન પાસે 3 ફિલ્મો છે જે રિલીઝ માટે તૈયાર છે. તેમાં ચંદીગઢ કરે આશિકી (Chandigarh Kare Aashiqui), અનેક (Anek) અને ડોક્ટર જી (Doctor G) . ચંદીગઢ કરે આશિકીમાં આયુષ્માન સાથે વાણી કપૂર (Vaani Kapoor) મુખ્ય ભૂમિકામાં છે.

અનેકને અનુભવ સિન્હા બનાવી રહ્યા છે જેમાં આયુષ્માન મુખ્ય ભૂમિકામાં છે. તે જ સમયે, રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ડોક્ટર જીમાં આયુષ્માન સાથે મુખ્ય ભૂમિકામાં છે.

આયુષ્માનની આ ફિલ્મો તેની અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોની જેમ જ વિવિધ વિષયો પર બનાવવામાં આવશે અને ચાહકો મોટા પડદા પર અભિનેતાની ફિલ્મો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે કોવિડ પછી આયુષ્માનની કોઈ પણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ નથી.

આ પણ વાંચો :- OMG: વિક્કી કૌશલ સ્ટારર ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર થશે રિલીઝ, જાણો કયા દિવસે થશે સ્ટ્રીમિંગ

આ પણ વાંચો :- Haathi Mere Saathi: રાણા દગ્ગુબતીની ફિલ્મનું ટ્રેલર રિલીઝ, હાથીઓને બચાવવાના મિશન પર અભિનેતા

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">