Kiara Advani-Sidharth Malhotra Wedding Date Update: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી લેટેસ્ટ માહિતી મુજબ કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં, પરંતુ 7 ફેબ્રુઆરીએ થશે. સિદ્ધાર્થ અને કિયારા જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે.
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની નવી તારીખની સાથે તેમના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ પણ સામે આવી ગયું છે. લવ બર્ડ્સ સિદ્ધાર્થ અને કિયારાની મહેંદી સેરેમની આજે થવા જઈ રહી છે. કિયારાના હાથમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની મહેંદી લાગશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તરફથી લગ્ન વિશે હજુ સુધી ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલની જેમ તેમના લગ્નમાં પણ ફોન પોલિસી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ ઓર્ગેનાઈઝર્સને આ નિયમને ફોલો કરવા માટે કહ્યું છે. આ સાથે હોટેલ સ્ટાફ અને મહેમાનોને આ નિયમનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે અને બંનેએ લગ્નના ફોટા અથવા વીડિયો ક્યાંય પણ શેયર ન કરવા વિનંતી કરી છે.
સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન, રિસેપ્શન અને મહેંદીની તારીખો વિશે જણાવવામાં આવ્યું છે. આ કપલની સંગીત અને હલ્દી 5 ફેબ્રુઆરીએ થશે. પરંતુ હવે મળતી માહિતી મુજબ 5 ફેબ્રુઆરીએ માત્ર મહેંદી ફંક્શન જ યોજાશે. 6 ફેબ્રુઆરીના રોજ સંગીત અને હલ્દી સેરેમની થશે. મીડિયા રિપોર્ટ અનુસાર 7 ફેબ્રુઆરીએ લગ્ન અને રિસેપ્શન પાર્ટી થશે.
આ પણ વાંચો : Sid Kiara Wedding: લગ્નને સીક્રેટ રાખવા માટે સિદ્ધાર્થ-કિયારાએ લીધો મોટો નિર્ણય, અપનાવ્યો વિકી-કેટરિનાનો આ નિયમ
બોલિવૂડના ઘણા સ્ટાર્સ કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં સામેલ થવા માટે આજે જેસલમેર પહોંચ્યા છે. કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, શબીના ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ આજે બપોરે વેંડિગ વેન્યૂ પર પહોંચી ગયા છે. અંબાણી પરિવાર પણ લગ્ન માટે પહોંચ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. આ લક્ઝુરિયસ પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા ભવ્ય અંદાજમાં લગ્ન કરી રહ્યા છે.
Published On - 9:03 pm, Sun, 5 February 23