AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samrat Prithviraj Tax Free: યુપીમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરમુક્ત, સીએમ યોગી ઈચ્છે છે કે અક્ષય કુમારની ફિલ્મ સામાન્ય લોકો સુધી પહોંચે

યોગી સરકારે રાજ્યમાં ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને (Samrat Prithviraj) ટેક્સ ફ્રી કરી છે અને એમ પણ કહ્યું છે કે તેઓ આ ફિલ્મને દરેક વ્યક્તિ સુધી લઈ જવા માંગે છે.

Samrat Prithviraj Tax Free: યુપીમાં 'સમ્રાટ પૃથ્વીરાજ' કરમુક્ત, સીએમ યોગી ઈચ્છે છે કે અક્ષય કુમારની ફિલ્મ સામાન્ય લોકો સુધી પહોંચે
Samrat-Prithviraj
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 5:02 PM
Share

અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની (Manushi Chillar) ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આવતીકાલે એટલે કે 3 જૂને રિલીઝ થવાની તૈયારીમાં છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે અક્ષય કુમારની આ ફિલ્મને યુપીમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. યોગી સરકારે રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે જેથી હવે આ ફિલ્મ ટેક્સ ફ્રી જોઈ શકાય. સીએમ યોગીએ (CM Yogi Adityanath) આ સાથે કહ્યું છે કે તેઓ આ ફિલ્મને દરેક વ્યક્તિ સુધી લઈ જવા માંગે છે. ANIના ટ્વિટ મુજબ, UP CM યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને (Samrat Prithviraj) ટેક્સ ફ્રી કરવામાં આવી છે જેથી કરીને સામાન્ય માણસ આ ફિલ્મ જોઈ શકે.’

અહીં ટ્વીટ જુઓ:-

તમને જણાવી દઈએ કે, ફિલ્મ આવતીકાલે એટલે કે શુક્રવાર, 3 જૂને રિલીઝ થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં વધુ એક સમાચાર સામે આવ્યા છે કે, અક્ષયની ફિલ્મ પર કુવૈતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું- ‘ઓમાન, કુવૈતની સરકારે અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ અહીં રિલીઝ થશે નહીં.

આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારની આ ફિલ્મ વિવાદમાં આવી હોય. આ પહેલા અક્ષય કુમારની ફિલ્મને તેના નામના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ અક્ષયની ફિલ્મનું નામ ‘પૃથ્વીરાજ’ હતું, જે બાદ કરણી સેનાએ તેનો વિરોધ કર્યો હતો. બાદમાં નિર્માતાઓએ ફિલ્મનું નામ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રાખ્યું.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે, જે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથા કહે છે. આ ફિલ્મ પ્રસિદ્ધ કવિતા પૃથ્વીરાજ રાસો પર આધારિત છે, જેને ચાંદ બરદાઈએ લખી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ઉપરાંત સોનુ સૂદ પણ છે, ત્રણેય ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. માનુષી છિલ્લર આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. માનુષી પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેત્રીએ તેની પહેલી જ ફિલ્મના પોસ્ટર અને ટીઝર-ટ્રેલર્સમાં દેખાઈને લોકોને તેના ચાહકો બનાવ્યા છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">