Neetu Kapoor: ‘કલ હો ના હો’માં જયા બચ્ચનના રોલને ન કરવા પર નીતુ કપૂરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

|

Jun 18, 2022 | 5:29 PM

નીતુ કપૂર (Neetu Kapoor) ટૂંક સમયમાં રાજ મહેતા ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'જુગજુગ જિયો'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી જેવા સ્ટાર્સ જોવા મળશે.

Neetu Kapoor: કલ હો ના હોમાં જયા બચ્ચનના રોલને ન કરવા પર નીતુ કપૂરે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
Neetu-Kapoor-And-Jaya-Bachchan

Follow us on

નીતુ કપૂર (Neetu Kapoor) આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જુગજુગ જીયો’ના (Jugjugg Jeeyo) પ્રમોશનમાં બિઝી છે. મીડિયા સાથેની વાતચીતમાં નીતુ કપૂરે ‘કલ હો ના હો’માં (Kal Ho Naa Ho) જયા બચ્ચનની ભૂમિકા માટે પહેલી પસંદ હોવાની ચાલી રહેલી અફવાઓ વિશે કહ્યું અને કહ્યું કે આ બધી અફવાઓ સાચી છે. નીતુ કપૂરે જણાવ્યું કે તેણે આ રોલ કેમ ન સ્વીકાર્યો. તેણે કહ્યું કે, એવું નથી કે તે આ ફિલ્મમાં કામ કરવા માંગતી ન હતી પરંતુ તેણીએ કહ્યું કે મનની ફ્રેમમાં તે રોલ ન હતો. તેના પતિ ઋષિ કપૂરે તેને તેમાં કામ ન કરવા કહ્યું હતું કારણ કે તે ખૂબ જ પજેસિવ છે.

ઋષિ કપૂરના કારણે છોડી હતી આ ફિલ્મ

નીતુ કપૂરે કહ્યું કે, ‘તેઓ ઇચ્છતા હતા કે હું ઘરે જ રહું અને જ્યારે પણ હું ઘરની બહાર જતી હતી ત્યારે તે પાગલ થઈ જતા હતા. તે પ્રશ્નો પૂછતા હતા કે તું ક્યાં જઈ રહી છે અને ઘરે પાછી ક્યારે આવીશ.’ નીતુ કપૂરે ખુલાસો કર્યો કે તે મારા વિશે ખૂબ જ અસુરક્ષિત થઈ જતા હતા, તેથી હું તેમના સિવાય કોઈ ફિલ્મ વિશે વિચારી શકતી ન હતી.

તેણે કટાક્ષ કર્યો કે આ પ્રોજેક્ટને ના પાડવાનું કારણ તે હતું. પરંતુ નીતુ કપૂરે આ વાત ભાર મુકીને કહ્યું હતું કે ઋષિ કપૂરે ક્યારેય તેમને કામ ન કરવાનું કહ્યું નથી પરંતુ જો તેમણે મને પૂછ્યું હોત તો મેં કહ્યું હોત. પરંતુ હું તેના વિશે જાણતી હતી કે જો હું બે મહિના માટે તે ફિલ્મના શૂટિંગ માટે બહાર રહી હોત તો તે ખૂબ જ દુઃખી હોત.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

24 જૂને રિલીઝ થશે ‘જુગજુગ જિયો’

નીતુ કપૂર જલ્દી જ રાજ મહેતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘જુગજુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 24 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના તમામ સ્ટાર્સ સોની ચેનલ પર પ્રસારિત થનારા સિંગિંગ રિયાલિટી શો ‘સુપર સિંગર’માં જોવા મળશે. આ ફિલ્મ સિવાય તે ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ જજ તરીકે જોવા મળે છે. આ પહેલીવાર છે જ્યારે નીતુ કપૂર કોઈ શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. તે શોની જજ બનીને ખૂબ જ ખુશ છે.

Next Article