AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahavatar Narsimha : અરે બાપ રે… 100 કરોડની કમાણી કરનારી પહેલી એનિમેટેડ ફિલ્મ બની મહાવતાર નરસિમ્હા

'મહાવતાર નરસિમ્હા' ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હજુ પણ ચાહકોમાં લોકપ્રિય છે. આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી રહી છે. તેના કલેક્શન પર નજર કરીએ તો, આ ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાવનારી પ્રથમ ભારતીય એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે.

Mahavatar Narsimha : અરે બાપ રે...  100 કરોડની કમાણી કરનારી પહેલી એનિમેટેડ ફિલ્મ બની મહાવતાર નરસિમ્હા
| Updated on: Aug 07, 2025 | 11:54 AM
Share

અશ્વિન કુમારના ડાયરેક્શનમાં બનેલી મહાવતાર નરસિમ્હા એનિમેટેડ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.આ ફિલ્મ લોકોની પહેલી પસંદ બની રહી છે. આટલું જ નહી મહાવતાર નરસિમ્હા ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે,ભારતની તમામ એનિમેટેડ ફિલ્મને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મનું નિર્દેશન અશ્વિન કુમારે કર્યું છે. મહાવતાર ફિલ્મે અનેક બોલિવુડ ફિલ્મને પછાડી છે. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની કમાણીએ સૌને ચોંકાવી દીધા છે.

100 કરોડ પાર થયું કલેક્શન?

માત્ર 12 દિવસમાં ફિલ્મની કમાણી 106 કરોડ રુપિયા થઈ છે. ચાહકોના સારા રિવ્યુ અને સોશિયલ મીડિયાના કારણે ફિલ્મની કમાણી ખુબ વધી ગઈ છે. મહાવતાર નરસિમ્હાએ સ્પાઈડર મેન,ધ ઈનક્રેડિબલ્સ અને કુંગ ફૂ પાંડા જેવી વિદેશી ફિલ્મોને પાછળ છોડી છે. ભારતની સૌથી વધારે કમાણી કરનારી એનિટમેટેડ ફિલ્મ બની ગઈ છે. સ્પાઈડર મેનની એનિમેટેડ ફિલ્મે ભારતમાં 43.99 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો કુંગ ફૂ પાંડાના તમામ પાર્ટે 30 થી 32 કરોડની કમાણી કરી હતી.

‘મહાવતાર નરસિંહ’ એ ભગવાન વિષ્ણુના દસ અવતાર પર આધારિત એનિમેટેડ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ છે. આગામી 10 વર્ષમાં આસિરીઝની વધુ ફિલ્મો આવશે.આ ફિલ્મ 5 ભારતીય ભાષામાં તૈયાર કરવામાં આવી છે.સૈકનિલ્કના ડેટા અનુસાર, 25 જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ સાથે ભારતમાં બનેલી કોઈ પણ એનિમેશન ફિલ્મની સૌથી વધારે કમાણી છે.આ ફિલ્મ પાસે હજુ પણ ઘણી સંભાવનાઓ છે અને આવનારા સમયમાં આ ફિલ્મ સરળતાથી 200 કરોડનો આંકડો પાર કરી શકે છે.

શું છે મહાવતાર નરસિમ્હા?

આ એક અનિમેટેડ માયથોલોજિક્લ ફિલ્મ છે. જેમણે અશ્વિની કુમારે ડાયરેક્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, અશ્વિની કુમારનું એનિમેટેડ ફિલ્મમાં ડેબ્યુ છે. જેના કામના હાલમાં ખુબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં 3 પુરાણની મદદ લેવામાં આવી હતી. જેમાં વિષ્ણુ પુરાણ, નરસિમ્હા પુરાણ અને શ્રીમદ્દભાગવત પુરાણ સામેલ છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">