વિવાદોમાં ફસાઈ ઋતિક રોશનની નવી જાહેરાત, નરોત્તમ મિશ્રાએ કરી પોલીસ કાર્યવાહીની માંગ

|

Aug 21, 2022 | 5:05 PM

ઋતિક રોશને (Hrithik Roshan) ઝોમેટો માટે એક એડ કરી છે. જેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ પણ આ વિશે પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

વિવાદોમાં ફસાઈ ઋતિક રોશનની નવી જાહેરાત, નરોત્તમ મિશ્રાએ કરી પોલીસ કાર્યવાહીની માંગ
Hrithik-Roshann

Follow us on

ઋતિક રોશન (Hrithik Roshan) આ દિવસોમાં પોતાની નવી એડને લઈને વિવાદોમાં ફસાયો છે. બોલિવૂડ એક્ટર ઋતિક રોશન ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની એડને લઈને ચર્ચામાં છે. આ પહેલા પણ ઋતિકે ઝોમેટો (Zomato) સાથે ઘણી એડ બનાવી છે, પરંતુ તેની લેટેસ્ટ એડ હવે ચર્ચામાં છે. એક્ટરની લેટેસ્ટ એડને કારણે તેના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ વિશે પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. ઝોમેટો કંપની દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ એડમાં ઋતિક દેશના અલગ-અલગ શહેરોમાં જોવા મળી રહ્યો છે. તે સુરક્ષા દળોની વેનમાં સૈનિક દળમાં બેઠો છે. પછી અચાનક વેનનો દરવાજો વાગે છે, પછી બધા સૈનિકો ત્યાં બંદૂકો બતાવે છે. દરવાજો ખોલતાની સાથે જ પેક્ડ ફૂડ માટે ડિલિવરી બોય સામે ઉભો જોવા મળે છે. સૈનિકો પૂછે છે કે કોણે મંગાવ્યું હતું તો ઋતિક કહે છે – થાલી કા મન કિયા. ઉજ્જૈન મેં હૈ, તો મહાકાલ સે મંગા લિયા.

પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા સમાચારમાં નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવેલી એડ મોર્ફ કરવામાં આવી રહી છે. મહાકાલ મંદિરના પૂજારીઓએ પણ આ એડ સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે મહાકાલ મંદિર કોઈ થાળી ડિલવરી કરતું નથી. ઝોમેટો અને ઋતિક રોશન આ એડ માટે માફી માંગે છે.

નરોત્તમ મિશ્રાએ તપાસનો આપ્યો છે આદેશ

નરોત્તમ મિશ્રાએ કહ્યું કે “મેં ઉજ્જૈનના પોલીસ અધિક્ષકને વીડિયોની વાસ્તવિકતા તપાસવા અને મને તેનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે, જેથી કરીને ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી શકાય.” આ મામલે પોલીસે તપાસ કરી રાજ્યના ગૃહમંત્રીનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ માફી માંગવાની કરી અપીલ

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના બે પૂજારીઓએ શનિવારે જાહેરાત પાછી ખેંચવાની અપીલ કરી હતી, જેનો આરોપ લગાવ્યો હતો કે આ જાહેરાત હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ સાથે તેમને ઝોમેટોને માફી માંગવાની પણ અપીલ કરી હતી. પૂજારીઓએ દાવો કર્યો છે કે, “ભક્તોને થાળીમાં પ્રસાદ પીરસવામાં આવે છે અને આ જાહેરાત હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.”

Next Article