AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છલકાયું ગોવિંદાનું દર્દ! આ ખાસ વ્યક્તિના અવસાન પછી કરવા માગતા હતા ‘આત્મહત્યા’, એક પંડિતે બચાવ્યો જીવ

બોલિવૂડમાં કરોડો લોકોને પોતાના અભિનયથી હસાવનારા એક સુપરસ્ટારના જીવનમાં વર્ષ 1996 માં એક એવો સમય આવ્યો હતો, જ્યારે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોતાના સૌથી ખાસ સ્વજનને ગુમાવ્યા બાદ તેઓ એટલી હદે ડિપ્રેશનમાં સરી પડ્યા હતા કે, તેમણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

છલકાયું ગોવિંદાનું દર્દ! આ ખાસ વ્યક્તિના અવસાન પછી કરવા માગતા હતા 'આત્મહત્યા', એક પંડિતે બચાવ્યો જીવ
| Updated on: Aug 09, 2026 | 7:33 PM
Share

બોલિવૂડ એક્ટર ગોવિંદા પોતાની માતાની ખૂબ જ નજીક હતા. વર્ષ 1996 માં જ્યારે તેમની માતાનું નિધન થયું, ત્યારે ગોવિંદા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માતાને ગુમાવવાના ગમમાં તેઓ એટલા ડિપ્રેશનમાં આવી ગયા હતા કે, તેમણે નર્મદા નદીમાં જઈને પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુનીતા આહૂજાએ ઘણી વખત કહ્યું છે કે, આગામી જન્મમાં તેઓ પ્રાર્થના કરશે કે તેમને ગોવિંદા પુત્ર તરીકે મળે, કારણ કે ગોવિંદા પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. હવે ગોવિંદાએ પોતાની માતા નિર્મળા દેવી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી અને જણાવ્યું કે, તેમના નિધને તેમને કેટલા દુઃખી કરી દીધા હતા.

ગોવિંદાની માતાનું નિધન વર્ષ 1996 માં થયું હતું અને તેમને ગુમાવવાનું દુઃખ એટલું ઊંડું હતું કે, એકવાર એક્ટર નર્મદા નદીમાં ચાલ્યા ગયા હતા; એ વિચારીને કે કદાચ તેઓ તેમને ફરીથી મળી શકશે. આ દરમિયાન તેઓ લગભગ આત્મહત્યા જ કરવાના હતા.

માતાને ગુમાવવાનું દુઃખ સહન ન કરી શક્યા ‘ગોવિંદા’

ANI સાથે વાત કરતા ગોવિંદાએ તે સમયે અનુભવેલા દર્દને યાદ કર્યું. ગોવિંદાએ જણાવ્યું કે, તેમના નિધનની તેમના પર કેટલી ઊંડી અસર પડી હતી અને તેમણે સ્વીકાર્યું કે, તે દરમિયાન તેમના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું ખૂબ જ દર્દમાં હતો. મને અતિશય તકલીફ થઈ રહી હતી. તે સમયે મને લાગ્યું કે, બધું જ પૂરું થઈ ગયું છે. બસ આ જ અંત હતો.’

તે ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું, ‘હું નર્મદા નદી પાસે હતો. મેં વિચાર્યું કે, હું નદીમાં થોડો વધુ આગળ જઈશ અને પોતાની માતાને ફરીથી મળી શકીશ. એટલા માટે હું નદીમાં ચાલ્યો ગયો.’

ગોવિંદાએ માતાના નિધન પછી આત્મહત્યા પર મૌન તોડ્યું

ગોવિંદાને પૂછવામાં આવ્યું કે, શું તે સમયે તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવી રહ્યો હતો? તો ગોવિંદાએ કહ્યું, ‘અમુક અંશે આવી રહ્યો હતો. હું મારી માતા સાથે ખૂબ જ જોડાયેલો હતો. હું તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો.’ તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના આ પગલાને જીવ આપવાના પ્રયાસ તરીકે નથી જોતા.

તેમણે કહ્યું કે, ‘દુનિયા આને એ જ કહે છે. લોકો આત્મહત્યા જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આપણા ત્યાં એવું કંઈ નથી હોતું. જિંદગી ક્યારેય પૂરી નથી થતી. તે નવાં રૂપ લે છે, નવા આકાર લે છે.’

ગોવિંદાનો દર્દનાક ખુલાસો

ગોવિંદાએ એ પણ યાદ કર્યું કે, કેવી રીતે એક પૂજારી, જેમને તેઓ રામ કુંડળના નામે યાદ કરે છે, તેમણે વચ્ચે પડીને નદીમાંથી બહાર નીકળવામાં તેમની મદદ કરી હતી. એક્ટરે કહ્યું, ‘તેમણે મને બૂમ પાડી અને મારી તરફ આવ્યા. હું નદીમાંથી બહાર આવ્યો અને તેમણે પૂછ્યું શું થયું ગોવિંદા? મને અહેસાસ થયો કે, તે સમયે કોઈએ મને કહ્યું હતું કે હું કંઈક ખોટું કરી રહ્યો છું અને મેં એક પાઠ શીખ્યો. મને અહેસાસ થયો કે, મારે મારાં બાળકો માટે જીવવાનું છે.’

આ સાથે જ ગોવિંદાએ કહ્યું કે, તે માનસિક સ્થિતિમાંથી બહાર આવવા અને જિંદગીનો નવો મકસદ શોધવામાં તેમને 15 દિવસથી વધુ સમય લાગ્યો. આ અનુભવે તેમના કરિયર અને સ્ટારડમને જોવાના દ્રષ્ટિકોણને પણ બદલી નાખ્યો.

હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ગીત ગાતો જોવા મળ્યો સોનુ નિગમ, Video વાયરલ

Follow Us
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
g clip-path="url(#clip0_868_265)">