AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર પર ભારત, ચંદ્રયાન 3ની સફળતાથી બોલિવુડ ખુશખુશાલ, જાણો કોણે શું કહ્યું

ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે. ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશન સફળ રહ્યું છે અને સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એટલે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. સામાન્ય લોકોની સાથે સાથે સિનેમા જગતના લોકો પણ આ મોટા અવસર પર ખૂબ જ એક્સાઈટેડ છે. બોલિવુડ સ્ટાર્સમાં પણ ખુશીની લહેર છે. આ સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ચંદ્ર પર ભારત, ચંદ્રયાન 3ની સફળતાથી બોલિવુડ ખુશખુશાલ, જાણો કોણે શું કહ્યું
Bollywood Celebs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 7:22 PM
Share

સમગ્ર દુનિયાની નજર ભારતના ચંદ્રયાન (Chandrayaan 3) મિશન પર હતી. ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. દરેક ભારતીય આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. કરીના કપૂર, અનુપમ ખેર, હેમા માલિની સહિત તમામ બોલિવુડ સ્ટાર્સ તેને લઈને ઉત્સાહિત હતા. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ કેબીસીના એપિસોડમાં ચંદ્રયાન 3નો ઉલ્લેખ કર્યો હતો. હવે જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે, ચંદ્રયાન 3નું લેન્ડિંગ થઈ ગયું છે, ત્યારે તેના પર બોલિવુડ સ્ટાર્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

બોલિવુડ સ્ટાર્સની ખુશીનું કોઈ સ્થાન નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે દરેક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક વીડિયો શેર કરતા રવિના ટંડને લખ્યું, “લેન્ડ હો ગયા, ઈન્ડિયા ચાંદ પર” એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલે લખ્યું, “હમ ચાંદ પર લેન્ડ કર ગયે. મુબારક હો ઈન્ડિયા, જય હિન્દ”

(VC: Raveena Tondon Twitter)

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

(PC: Sneha Ullal Instagram) 

(PC: Sunny Deol Twitter)

(PC: Akshay Kumar Twitter)

એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ લખ્યું, “ક્યા દિન હૈ, ક્યા દિન હૈ. ઈતિહાસ બન ગયા. અજય દેવગને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “ગર્વ, શાનદાર અને ઉત્સુકતા. આ ક્ષણમાં જીવવું એ સન્માનની વાત છે. ભારત માતાની જય.” બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની પ્રતિક્રિયા પણ આવી છે. તેણે કહ્યું, “વાહ, શું ક્ષણ છે.” શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે લખ્યું, “મિશન પૂર્ણ થયું.” બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ લખ્યું, “ભારત માટે ગૌરવની ક્ષણ.”

(VC: Arjun Bijlani Instagram)

અર્જુન બિજલાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. જેમાં તે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. તેને લખ્યું, “અમે તમને પ્રેમ કરીએ છીએ ચંદા મામા. આપણે ચંદ્ર લેન્ડ થઈ ગયા.” તેને સફળ બનાવનાર તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન. બોલિવુડ એક્ટર અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેને લખ્યું, “ભારત ચંદ્ર પર દેશવાસીઓ, જય હિંદ.”

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

(VC: Anupam Kher Instagram)

આ પણ વાંચો: માધવનની ‘રોકેટ્રી’ થી લઈને અક્ષયની ‘મિશન મંગલ’ સુધી, જ્યારે ચંદ્ર પર પહોંચી ફિલ્મ ઈન્ડસ્ટ્રી!

3 વર્ષ અને 9 મહિનાથી વધુની મહેનત

તમને જણાવી દઈએ કે આ મિશન માટે અનુભવી વૈજ્ઞાનિકોની આખી ટીમે વર્ષો સુધી સખત મહેનત કરી, જેના પછી ભારતને આ ખુશી મળી. 3 વર્ષ 9 મહિના 14 દિવસની તૈયારી બાદ ચંદ્રયાન 3 મિશન સફળ થયું છે. ઈસરો ચીફ ડો. એમ. સોમનાથ, પી. વીરમુથુવેલ, એસ. ઉન્નીકૃષ્ણન નાયર, એમ. શંકરન, ડો. કે. કલ્પના જેવા મોટા દિગ્ગજોને તેનો શ્રેય જાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">