સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાના કારણે તેમણે ટ્વીટ દ્વારા પોતાના ફેન્સને એક માહિતી આપી છે. 23 ડિસેમ્બરે યોજાનારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અમિતાભ બચ્ચનને તેના યોગદાન બદલ ફિલ્મ જગતનો સર્વોચ્ચ સન્માન આપવાના છે. પરંતુ તબિયતના કારણે અમિતાભ હાજર રહી શકશે નહીં. અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે. જેના કારણે કોન બનેંગા કરોડપતિ ફિલ્મની શૂટિંગ પણ વચ્ચે રોકી દેવાઈ હતી.
T 3584/5/6 –
Down with fever .. ! Not allowed to travel .. will not be able to attend National Award tomorrow in Delhi .. so unfortunate .. my regrets ..— Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019
આ પણ વાંચોઃ ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ
અમિતાભ બચ્ચને કર્યું Tweet
અમિતાભ બચ્ચને ટ્વીટ દ્વારા જાણકારી આપી કે, તેઓ બીમારીના કારણે યાત્રા કરી શકે તેમ નથી. દિલ્હીમાં યોજાનારા નેશનલ એવોર્ડમાં હાજર રહી શકશે નહીં. આ વાતનું મને ઘણું દુઃખ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો