અભિનેતા સલમાન ખાનની (Salman khan) બહેનના પતિ આયુષ શર્માના (Ayush Sharma) દાદાના નિધનના સમાચારથી દરેક જણ નિરાશ છે. આયુષ સંબંધોમાં સલમાન ખાનનો સાળો લાગે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામ શર્માએ (Pandit Sukh Ram Sharma) 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આયુષ શર્માના દાદાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ દુઃખદ સમાચારથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે. પંડિત સુખરામ શર્માએ એક અનુભવી નેતા તરીકે દેશ માટે પોતાનું યોગદાન ખૂબ જ સારી રીતે આપ્યું હતું. સમાચાર મુજબ, આયુષ શર્માના દાદા તેમના અંતિમ દિવસોમાં વેન્ટિલેટર પર હતા. ગયા શનિવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોની ટીમે તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા.
જે બાદ હવે એવા અહેવાલો છે કે અભિનેતા આયુષના દાદા પંડિત સુખરામ શર્માનું નિધન થઈ ગયું છે. થોડા સમય પહેલા આયુષ શર્માએ આ ઘટનાની માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. આયુષે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ લખીને દરેકની આંખો ભીની કરી દીધી છે.
અભિનેતાએ તેની પોસ્ટમાં દાદાનો ઉલ્લેખ કર્યો છે અને તેમને યાદ કરીને લખ્યું છે કે “મારા દિલ પર ભાર મૂકીને, હું મારા દાદા પંડિત સુખ રામ શર્માને મારી અંતિમ વિદાય આપી રહ્યો છું. હું જાણું છું કે તમે જ્યાં પણ જશો, તમે હંમેશા મારી સાથે હશો, મને જોશો, મને માર્ગદર્શન આપો અને તમારા આશીર્વાદ હંમેશા રહેશે જેમ તમે કર્યું છે.
આયુષની પોસ્ટ શેર થતાની સાથે જ તેના ફેન્સ અને નજીકના લોકો સોશિયલ મીડિયા પર તેને સાંત્વના આપી રહ્યા છે. તેમજ તેમના દાદાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
આ પહેલા આ દુઃખદ સમાચાર આશ્રય શર્માએ તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા આપ્યા હતા. મોડી રાત્રે તેણે પોતાના ફેસબુક પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી શેર કરી.
અગાઉ મંગળવારે, આયુષ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેના ચાહકોને તેના દાદાના નિધનની અફવાઓ પર તેની પ્રતિક્રિયા આપી હતી. સાથે જ પોતાની હેલ્થ અપડેટ પણ શેર કરી.