Holi 2021: હોળીનું નામ સાંભળતા જ ગાયબ થઈ જાય છે આ સિતારાઓ, લિસ્ટમાં છે રણવીરસિંહનું નામ

|

Mar 29, 2021 | 4:45 PM

Holi 2021: 29 માર્ચ એટલે કે આજે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધુળેટીનો દિવસ રંગ અને મસ્તીનો તહેવાર છે. ધુળેટીના દિવસે સામાન્ય નાગરિક હોય કે બોલીવુડના સિતારાઓ હોય હોળીના તહેવારમાં રંગાઈ જતા હોય છે.

Holi 2021: હોળીનું નામ સાંભળતા જ ગાયબ થઈ જાય છે આ સિતારાઓ, લિસ્ટમાં છે  રણવીરસિંહનું નામ

Follow us on

Holi 2021: 29 માર્ચ એટલે કે આજે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધુળેટીનો દિવસ રંગ અને મસ્તીનો તહેવાર છે. ધુળેટીના દિવસે સામાન્ય નાગરિક હોય કે બોલીવુડના સિતારાઓ હોય હોળીના તહેવારમાં રંગાઈ જતા હોય છે. પરંતુ બૉલીવુડના ઘણા એવા સ્ટાર્સ હોય છે, જેને હોળીનો તહેવાર બિલકુલ પસંદ નથી. રંગનું નામ સાંભળતા જ આ બોલીવુડ સિતારાઓ ગાયબ થઈ જાય છે. આ લિસ્ટમાં રણવીર સિંહથી લઈને જોન અબ્રાહમ સુધીના નામ સામેલ છે. આવો જાણીએ એ બોલીવુડના સિતારાઓ વિશે જે રંગથી દૂર રહે છે.

 

તાપસી પન્નુ
બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ તેના માતાપિતાની જેમ હોળી નથી રમતી. તાપસી પન્નુના માતા-પિતાને આ તહેવાર પસંદ નથી. જેને લઈને તાપસીને ક્યારે પણ હોળી રમવાનો મોકો નથી મળી રહ્યો. હોળીના તહેવાર પર તાપસી પન્નુ તેના કામમાં વ્યસ્ત રહે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જોન અબ્રાહમ
રંગથી દૂર રહેનાર બૉલીવુડ સીતારાઓના લિસ્ટમાં બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમનું નામ સૌથી પહેલા આવે છે. જોનને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. જોનનું કહેવું છે કે હોળીના રંગમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે. આ સાથે જ જોનએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારના નામ પર મહિલાઓ સાથે ખરાબ વર્તન પણ કરે છે.

 

રણવીર સિંહ
રંગથી દૂર રહેનાર સીતારાઓના લિસ્ટમાં દીપિકાના પતિ રણવીર સિંહનું નામ પણ સામેલ છે. રણવીર સિંહને હોળી રમવી બિલકુલ પસંદ નથી. રણવીર સિંહને બિલકુલ સારું નથી લાગતું, જ્યારે તેના ચહેરા પર કોઈ કલર લગાવી દે છે. આ સાથે જ રણવીર સિંહ જણાવે છે કે, હોળીના રંગ પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. તહેવારના ખાસ દિવસે રણવીર સિંહને તેની આસપાસ રંગ હોય તે ગમતું નથી.

 

રણબીર કપૂર
બૉલીવુડ એક્ટર રણબીર કપૂરને હોળી બિલકુલ પસંદ નથી. કપૂર ખાનદાનની હોળીમાં બધા જ નજરે આવે છે, પરંતુ રણબીર કપૂર પાર્ટીમાંથી ગાયબ હોય છે. કહેવામાં આવે છે કે, ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના ગીત ‘બલમ પિચકારી’ના શૂટિંગ દરમિયાન રણબીર કપૂરની હાલત ખરાબ થઈ જાય છે.

 

આ પણ વાંચો: Jagdeep Birthday Special: શોલેનાં સુરમા ભોપાલી યાદ છે? હાસ્યનાં બાદશાહે માત્ર આટલા રૂપિયામાં સ્વિકાર્યો હતો રોલ

 

Next Article