Birthday Special: જયા બચ્ચને 15 વર્ષની ઉંમરમાં કામ શરૂ કર્યુ, શરતો પર કરવા પડ્યા હતા લગ્ન

|

Apr 09, 2021 | 1:23 PM

આજે જયા બચ્ચન તેમનો જન્મદિન ઉજવી રહ્યા છે. ત્યારે ચાલો તમને જણાવીએ તેમના અંગત અને ફિલ્મી જીવનના કેટલાક રોચક કિસ્સાઓ વિશે.

Birthday Special: જયા બચ્ચને 15 વર્ષની ઉંમરમાં કામ શરૂ કર્યુ, શરતો પર કરવા પડ્યા હતા લગ્ન
જયા બચ્ચન - અમિતાભ બચ્ચન

Follow us on

ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનનો આજે 73 મો જન્મદિવસ છે. જયા બચ્ચન હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. સત્યજિત રે અને ઋષિકેશ મુખર્જી જેવા નિર્માતાઓ અને દિગ્દર્શકોએ તેમની પ્રતિભાને દૂરથી જોઇને જ ઓળખી લીધી હતી. તે એવા થોડા કલાકારોમાંની એક હતી જેમણે ફિલ્મોની સાથે રાજકારણમાં સમાન નામ મેળવ્યુ. ચાલો તમને તેમની કેટલીક અજાણી વાતો જણાવીશું.

જયા બચ્ચને પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે કરી હતી. જયાએ સત્યજિત રેની બંગાળી ફિલ્મ મહાનગરમાં વર્ષ 1963 માં સહાયક અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. અહીંથી જ અભિનેત્રીએ પોતાનું સ્વપ્ન જીવવાનું શરૂ કર્યું. જય બચ્ચને એ વર્ષ 1971 માં ગુડ્ડી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી અભિનેત્રીએ મિલી, ચૂપકે ચૂપકે, ઝંજીર જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

જયા પહેલી વાર અમિતાભ બચ્ચનને 1972 માં ફિલ્મ ‘બંસી બિરજુ’ ના સેટ પર મળી હતી. એવું કહેવામાં આવે છે કે જયાએ જ્યારે અમિતાભને જોયા તો તે જોતી જ રહી ગઈ. જયા મનમાં જ અમિતાભને પસંદ કરવા લાગી. તે સમયે અમિતાભની ફિલ્મો કંઇક ખાસ કમાલ કરી રહી નહોતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પછી આ જોડી ઝંજીર ફિલ્મમાં જોવા મળી હતી. ઝંજીર ફિલ્મે તે વર્ષે સફળતાના ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા અને અમિતાભ દરેક નિર્માતા-દિગ્દર્શકની પ્રથમ પસંદગી બની ગયા હતા. ફિલ્મ ઝંજીરને હીટ કરતાની સાથે જ અમિતાભ અને જયાએ લગ્ન કરી કીધા.

ફિલ્મોમાં સક્રિય રહ્યા ત્યાં સુધી તેમણે નવ ફિલ્મ ફેર અવોર્ડ જીત્યા હતા. જેમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડનો સમાવેશ થાય છે.

જયાએ 3 જૂન, 1973 ના રોજ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. બંનેએ એક શરત પર લગ્ન કર્યા હતા. અમિતાભે જણાવ્યું હતું કે ફિલ્મ ઝંજીરની સફળતા બાદ, બધા મિત્રો સાથે મળીને લંડન જવાની તૈયારી કરી રહ્યા હતા, જેમાં જયા પણ તેમની સાથે હતી. પરંતુ પિતા હરિવંશ રાય બચ્ચનની શરતોને કારણે બંનેએ લગ્ન કરવા પડ્યા. તેના પિતાએ કહ્યું કે જો જયા અને અમિતાભ સાથે મળીને લંડન જવું હોય, તો પહેલા બંનેએ લગ્ન કરવા પડશે.

 

આ પણ વાંચો: જ્યારે અર્જુન કપૂરને ડેટ કરવા પર મલાઈકાને ટ્રોલ્સે કહ્યું ‘ઘરડી’, ત્યારે અભિનેત્રીએ આપ્યો આવો જવાબ

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

Next Article