10 વર્ષ જૂના કેસમાં હની સિંહને મોટી રાહત, વિવાદીત ગીત પર કોર્ટે લીધો નિર્ણય, જાણો શું હતો મામલો

હની સિંહનુ એક ગીત 'મૈં હૂં બલાત્કારી' માટે હની સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ હંગામો ગીતના વિવાદાસ્પદ બોલના કારણે થયો હતો. જે બાદ હની સિંહે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ કોર્ટે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કાર્યવાહી કરવી હોય તો સાત દિવસમાં નોટિસ આપવામાં આવે.

10 વર્ષ જૂના કેસમાં હની સિંહને મોટી રાહત, વિવાદીત ગીત પર કોર્ટે લીધો નિર્ણય, જાણો શું હતો મામલો
Big relief to Honey Singh in 10 year old case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 4:56 PM

ફેમસ રેપર હની સિંહને 10 વર્ષ જૂના વિવાદિત ગીતના કેસમાંથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં ‘મૈં હૂં બલાત્કારી’ ગીતને લઈને હોબાળો મચી ગયો હતો અને એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે ગાયક સામેની આ FIR રદ કરવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા આ રેપરે પણ આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

તમને જણાવી દઈએ કે હની સિંહનુ એક ગીત ‘મૈં હૂં બલાત્કારી’ માટે હની સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ હંગામો ગીતના વિવાદાસ્પદ બોલના કારણે થયો હતો. જે બાદ હની સિંહે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ કોર્ટે પંજાબ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કાર્યવાહી કરવી હોય તો સાત દિવસમાં નોટિસ આપવામાં આવે.

મળતી માહિતી મુજબ હની સિંહ વિરુદ્ધ આ કેસ 2013માં નવાંશહેર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે હની સિંહે એક અત્યંત અશ્લીલ ગીત ગાયું હતું અને તેને YouTube પર અપલોડ કર્યું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગીત વિશે કોર્ટે શું કહ્યું ?

કોર્ટમાં આપેલા તેના જવાબમાં પંજાબ સરકારે કહ્યું કે તેણે આ કેસને રદ્દ કરવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તે ટૂંક સમયમાં નિષ્કર્ષ પર પહોંચશે. મતલબ કે આ કેસમાં હની સિંહને રાહત મળવાની છે.

હની સિંહ વિરુદ્ધ કોણે કેસ દાખલ કર્યો?

સામાજિક કાર્યકર્તા પરવિંદર સિંહે ‘મેં હૂં બલાત્કારી’ ગીતને લઈને એફઆઈઆર નોંધાવી હતી. તેણે હની સિંહ વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવા અને બોલવા બદલ ફરિયાદ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ કેસ છેલ્લા દસ વર્ષથી પેન્ડિંગ હતો. આવી સ્થિતિમાં હની સિંહે તેની સામેની FIR રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

ગીતના બોલ પર હની સિંહની સ્પષ્ટતા

આ ગીત અંગે હની સિંહે અરજીમાં કહ્યું હતું કે આ ગીત તેણે ખરેખર ગાયું નથી. તેના બદલે, આ ગીત નકલી એકાઉન્ટમાંથી ગાવાયેલુ છે અને પછી પ્રકાશિત થયું હતું. આવી સ્થિતિમાં તેણે કોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી હતી. હની સિંહની આ દલીલ પર કોર્ટે ફોરેન્સિક તપાસ માટે કહ્યું હતું. જેથી કરીને સત્ય બહાર આવી શકે કે ગાયકના શબ્દોમાં કેટલી શક્તિ છે. તે સાચું બોલે છે કે નહીં? તે જ સમયે, પંજાબ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચંદીગઢ ફોરેન્સિક લેબમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ રિપોર્ટ પહેલા પોલીસે રિપોર્ટ કેન્સલ કરવાની વાત પણ કરી હતી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">