Alia Bhattને આવી રહી છે બોયફ્રેન્ડ Ranbir Kapoorની યાદ, તસ્વીર કરી Share

|

Mar 13, 2021 | 6:44 PM

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય સંજય લીલા ભણશાળીની અહમ ભુમિકા છે. સંજય લીલા ભણશાળી થોડા સમય પહેલા કોરોનાવાયરસથી પીડિત જોવા મળ્યા હતા. સંજય લીલા ભણશાળીની ફિલ્મ પણ વિવાદોમાં છે.

Alia Bhattને આવી રહી છે બોયફ્રેન્ડ Ranbir Kapoorની યાદ, તસ્વીર કરી Share
Ranbir Kapoor and Alia Bhatt

Follow us on

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના બોયફ્રેન્ડ રણબીર કપૂરને યાદ કરી રહી છે, રણબીર કપૂર કોરોના વાયરસના ભોગ બન્યા છે અને તેમણે પોતાને જુદા કવોરન્ટાઈન કરી રાખ્યા છે. હવે આલિયા ભટ્ટે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આમાં આલિયા ભટ્ટે બોયફ્રેન્ડ રણબીર કપૂરનો હાથ પકડી રાખ્યો છે તે દેખાઈ રહ્યું છે. આલિયા ભટ્ટે લખ્યું છે, ‘હું ખૂબ જ યાદ કરું છું.’ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની ડબિંગ કરી રહ્યા છે, જો કે રણબીર કપૂર ઘરે ક્વોરેન્ટાઈન હોવાને કારણે હાલમાં તે રોકી દીધુ છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

આ પહેલા રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતુ કપૂરે રણબીર કપૂરની તબિયત વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેમનો પુત્ર કોરોના વાયરસથી પીડિત છે અને તે ઘરે કવોરન્ટાઈન છે. તેમણે કહ્યું, “તમારી ચિંતાઓ બદલ આભાર, રણબીર કપૂરનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેની દવા ચાલી રહી છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે અને તે ઘરે છે. તે તમામ પ્રકારના નિયમોનું પાલન કરે છે અને કવોરન્ટાઈનમાં છે.

 

 

 

ગુરુવારે આલિયાએ પણ તેમના ચાહકો માટે એક નોટ પણ શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘હું તમારા બધાના સંદેશા વાંચતી હતી. મારો કોરોના વાયરસનું પરીક્ષણ નકારાત્મક આવ્યું છે. મેં મારા ડોક્ટર સાથે વાત કરી છે અને હવે હું કામ કરી રહી છું. તમારી ચિંતાઓ માટે આભાર. તમારી કાળજી લો, સુરક્ષિત રહો. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળશે. તાજેતરમાં કમાઠીપુરાના લોકોએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો.

 

આ પણ વાંચો: Amitabh Bachchan સર્જરી બાદ ફરી એકવાર કામ પર પાછા ફર્યા, દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક રસપ્રદ ટિપ્પણી કરી

Published On - 6:19 pm, Sat, 13 March 21

Next Article