AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Rao Birthday Special : કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે પહેલી પત્નીને આપ્યા હતા 50 કરોડ રૂપિયા, 15 વર્ષ બાદ આવ્યો લગ્ન જીવનનો અંત

કિરણ રાવે (Kiran Rao) પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તેણે ફિલ્મ લગાનમાં દિગ્દર્શક આશુતોષ ગોવારીકરને મદદ કરી હતી. તે દરમિયાન જ આમિર ખાન સાથે મુલાકાત થઇ હતી.

Kiran Rao Birthday Special : કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે પહેલી પત્નીને આપ્યા હતા 50 કરોડ રૂપિયા, 15 વર્ષ બાદ આવ્યો લગ્ન જીવનનો અંત
kiran rao and aamir khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:12 AM
Share

કિરણ રાવ (Kiran rao) બોલિવૂડ નિર્માતા, દિગ્દર્શક અને લેખક છે. કિરણ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના અને આમિર ખાનના(Aamir khan) સંબંધોની ચર્ચા સરેઆમ કરવામાં આવતી હતી. કિરણ અને આમિરની જોડી ખૂબ જ સેટલ માનવામાં આવતી હતી. બંને દરેક તબક્કે એકબીજાને સાથ આપતા હતા. કિરણ રાવ આમિરના જીવનનો લકી ચાર્મ હતી. પરંતુ લાંબા સંબંધો પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. કિરણ રાવે પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહી હતી.

કિરણ રાવે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘લગાન’થી કરી હતી. ત્યાર બાદ તેણે આશુતોષ ગોવારિકર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. આ દરમિયાન આમિર ખાન અને તેમની વચ્ચે મિત્રતા વધી ગઈ હતી. કિરણ રાવ માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. તે નાનપણથી જ આમિરની ફેન હતી. આમિરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ જોયા બાદ તેને દિલ દઈ બેઠી હતી.

કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973ના રોજ તેલંગાણામાં થયો હતો. તેમના દાદા જે. રામેશ્વર વાનપર્થીના રાજા હતા. કિરણ તેલંગાણાની હોવા છતાં તેનું બાળપણ કોલકાતામાં વીત્યું હતું. ત્યાં તેણે લોરેટો હાઉસમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું હતું. તેના માતા-પિતા 1992માં કોલકાતા છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગયા. તે પણ તેના પરિવાર સાથે મુંબઈ આવી ગઈ. બાકીનો અભ્યાસ તેણે મુંબઈમાં કર્યો હતો. ત્યાં તેણે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે મુંબઈની સોફિયા કોલેજમાંથી બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો છે. આ પછી તે વધુ અભ્યાસ માટે દિલ્હી આવી હતી. ત્યાં તેણે જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી હતી.

કિરણ રાવે પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. આ પછી તેણે આમિર ખાન સાથે ધોબીઘાટ ફિલ્મ બનાવી હતી. તેણીએ 2010 માં આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને આમિર ખાને તેનું નિર્માણ કર્યું હતું. આ પછી નિર્માતા તરીકે તે આમિર ખાનની ફિલ્મ દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર સાથે સંકળાયેલી હતી.

વર્ષ 2000માં જ્યારે ફિલ્મ લગાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કિરણની મુલાકાત થઈ હતી. તે ફિલ્મમાં કિરણ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહી હતી. તે સમયે તેમનો પગાર માત્ર દસ હજાર રૂપિયા હતો. ત્યાંથી બંને વચ્ચે મુલાકાતનો દોર શરૂ થયો. આ પછી આમિરે લગ્ન કર્યા ત્યારે બંને વચ્ચે નિકટતા વધી. આ બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો ત્યારબાદ આમિરે 2002માં રીના દત્તથી છૂટાછેડા લીધા. તે પછી બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા અને 2005માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

કિરણ અને આમિરના લગ્ન સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે 50 કરોડ ચૂકવવા પડ્યા હતા. છૂટાછેડા સમયે તેણે આ રકમ તેની પ્રથમ પત્નીને આપવાની હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ આમિર અને કિરણ એક થઈ ગયા. પરંતુ લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમિર અને કિરણે સંયુક્ત નિવેદન જાહેર કરીને ખૂબ જ પરિપક્વતા સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.

કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે. કિરણ રાવ ‘પાની ફાઉન્ડેશન’ નામની એનજીઓના સહ-સ્થાપક પણ છે. જે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સમસ્યા પર કામ કરે છે.

આ પણ વાંચો : Happy Birthday Anushka Shetty : ફિલ્મ ‘બાહુબલી’થી બધા જ ભારતીયોના દિલમાં જગ્યા બનાવનાર અનુષ્કા શેટ્ટીની જાણી-અજાણી વાતો

આ પણ વાંચો : Kamal Hassan Birthday : સાઉથના સુપરસ્ટારે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી કરિયરની શરૂઆત, લવલાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">