AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tripura Assembly Election: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 81 ટકાથી વધુ મતદાન નોંધાયું, 2 માર્ચે પરિણામ

ત્રિપુરામાં વિધાનસભા માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન જોવા મળ્યું છે . જેમાં પ્રારંભિક માહિતી મુજબ 81 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જો કે મત ગણતરી 2 માર્ચે થશે. આ મતદાન દરમિયાન હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં CPI(M)ના એક નેતા અને ડાબેરી પક્ષના બે પોલિંગ એજન્ટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જ્યારે 45 જગ્યાએ ઈવીએમમાં ​​ખામી નોંધાઈ છે

Tripura Assembly Election: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 81 ટકાથી વધુ મતદાન નોંધાયું, 2 માર્ચે પરિણામ
Tripura Voting
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 7:31 PM
Share

ત્રિપુરામાં વિધાનસભા માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન જોવા મળ્યું છે . જેમાં પ્રારંભિક માહિતી મુજબ 81 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જો કે મત ગણતરી 2 માર્ચે થશે. આ મતદાન દરમિયાન હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં CPI(M)ના એક નેતા અને ડાબેરી પક્ષના બે પોલિંગ એજન્ટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જ્યારે 45 જગ્યાએ ઈવીએમમાં ​​ખામી નોંધાઈ છે. વિપક્ષના નેતા માણિક સરકારે આરોપ લગાવ્યો કે ભાજપના સહયોગી લોકોએ મતદાનમાં મુશ્કેલી ઉભી કરી કરી હતી. જ્યારે ટીપ્રા મોથાના વડા પ્રદ્યોત દેવબર્માએ પણ શાસક પક્ષ પર આક્ષેપ કર્યો હતો.

ટીપ્રા મોથાએ  42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા

ભાજપ-આઈપીએફટી, સીપીઆઈ(એમ)-કોંગ્રેસ ગઠબંધન અને નવા પક્ષ ટીપ્રા મોથા વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. ત્રિપુરામાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડી હતી. સીપીઆઈ(એમ) 47 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સહયોગી કોંગ્રેસે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ભૂતપૂર્વ શાહી પરિવારના વંશજ પ્રદ્યોત દેબબર્માની આગેવાની હેઠળ ટીપ્રા મોથાએ  42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા . તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ત્રિપુરામાં આશરે 32 ટકા આદિવાસી સમુદાયની

પૂર્વોત્તરનું રાજકારણ ઉત્તર અને દક્ષિણ ભારતથી એકદમ અલગ છે. ત્રિપુરામાં સૌથી વધુ આદિવાસી સમુદાયના વોટ છે. વધુ વોટ હોવાથી ત્રિપુરામાં રાજનીતિ પણ આદિવાસી સમુદાયની આસપાસ થયા કરે છે. રાજ્યની સીમા બાંગ્લાદેશને અડીને આવેલી છે અને 65 ટકા બાંગ્લાભાષી લોકો વસે છે. ત્રિપુરામાં આશરે 32 ટકા આદિવાસી સમુદાય વસે છે. રાજ્યમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા 8 ટકા આસપાસ છે.

20 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ

રાજ્યમાં સાંપ્રદાયિકતા ક્યારેય મુદ્દો રહ્યો નથી પણ,  2021માં બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલોમાં થયેલી હિંસાની આગ ત્રિપુરા સુધી પહોંચી હતી. રાજ્યમાં રહેલી 60 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે. 2018માં ભાજપ-IPFT તમામ 20 આદિવાસી રિઝર્વ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા

આ પણ વાંચો : Gujarati video: મહાશિવરાત્રીના મેળામાં લોકગાયક કિર્તીદાન ગઢવી લાખો લોકોને કરાવશે નિ:શુલ્ક ભોજન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">