AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ખેડૂતોના સંગઠનોની ચૂંટણી લડવાની જાહેરાત પર SKMએ કહ્યું- મોરચો બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી

સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાના ખેડૂતોના સંગઠનના નિર્ણયથી પોતાને દૂર રાખ્યા અને સ્પષ્ટ કર્યું કે ચૂંટણી લડવા માટે મોરચો બનાવવા સાથે તેમને કોઈ લેવાદેવા નથી.

Punjab: ખેડૂતોના સંગઠનોની ચૂંટણી લડવાની જાહેરાત પર SKMએ કહ્યું- મોરચો બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી
Samyukt Kisan Morcha - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:06 AM
Share

પંજાબના 22 ખેડૂત સંગઠનોએ (Farmer Organizations) શનિવારે રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) લડવાની જાહેરાત કરી છે. જો કે, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાના ખેડૂતોના સંગઠનના નિર્ણયથી પોતાને દૂર રાખ્યા અને સ્પષ્ટ કર્યું કે ચૂંટણી લડવા માટે મોરચો બનાવવા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ‘સયુક્ત સમાજ મોરચો’ બનાવવાની પંજાબના કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા આજની જાહેરાત સાથે તેને કોઈ લેવાદેવા નથી.

કિસાન મોરચાએ કહ્યું કે SKM કોઈપણ રાજકીય પક્ષને તેના બેનર અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવાની તેની નીતિને વળગી રહે છે.

જાન્યુઆરીમાં ચૂંટણી લડનાર ખેડૂત સંગઠનો અંગે નિર્ણય લેવામાં આવશે સાથે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આગામી વર્ષે 15 જાન્યુઆરીએ યોજાનારી આગામી રાષ્ટ્રીય SKM બેઠક નક્કી કરશે કે શું ખેડૂતોના સંગઠનો અને વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા નેતાઓ SKMની અંદર રહી શકે છે. અગાઉ, ખેડૂતોના 22 સંગઠનોએ સાથે મળીને સંયુક્ત સમાજ મોરચા નામનું એક ચૂંટણી સંગઠન શરૂ કર્યું હતું.

ચંદીગઢમાં સંયુક્ત સમાજ મોરચાની શરૂઆત કરતી વખતે આ માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત સમાજ મોરચા રાજ્યની તમામ 117 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે.

બલબીર સિંહ નવા રચાયેલા મોરચાનું નેતૃત્વ કરશે ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ ચંદીગઢમાં નવા રચાયેલા મોરચાનું નેતૃત્વ કરશે. મોરચા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં રાજેવાલે કહ્યું કે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 લડવા માટે એક નવો ‘સંયુક્ત સમાજ મોરચા’ની રચના કરવામાં આવી છે. ખેડૂતોના 22 સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આપણે સિસ્ટમ બદલવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ મોરચાને સમર્થન આપે.

પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે 22 ખેડૂત સંગઠનોએ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે, જોકે 7 સંગઠનોએ ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરી છે. આ સંગઠનોમાંથી એક છે જય કિસાન આંદોલન.

આ પણ વાંચો : Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો

આ પણ વાંચો : India Omicron Update: દેશમાં આ 17 રાજ્યમાં સામે આવી ચૂક્યા છે ઓમિક્રોન વેરિયન્ટના 436 કેસ, મહારાષ્ટ્ર-દિલ્હી અને ગુજરાતમાં સ્થિતિ ગંભીર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">