Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

|

Jan 21, 2022 | 6:10 PM

પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ભ્રષ્ટ ગણાવ્યા હતા.

Punjab Election 2022: કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર
CM Charanjit singh channi (File Photo)

Follow us on

Punjab Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હાલ નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું હતુ. તેમણે ચન્નીને (CM Charanjit Singh Channi) ભ્રષ્ટ ગણાવીને તેના પર આકરા પ્રહાર કર્યા હતા.

ચન્નીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા

આ સાથે પંજાબમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. જેના પર હવે સીએમ ચન્નીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આ કેજરીવાલના સર્વે નથી, જ્યાં 5 હજારની વાત કર્યા પછી લાખો કહો, આ ખુલ્લા સર્વે છે. કેજરીવાલ પાસે કહેવા માટે કંઈ નથી. મેં ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે. સિદ્ધુના નિવેદનને સમર્થન આપતાં તેમણે કહ્યુ કે, હું તેમના નિવેદન સાથે સહમત છું જેનાથી પંજાબમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. મેં રાજ્યમાંથી રેતી માફિયાઓને ખતમ કર્યા છે. જેના કારણે આજે હું રેત માફિયા કેજરીવાલ માફિયાનો દુશ્મન બની ગયો છું.

ED ના દરોડા બાદ કેજરીવાલ અને ચન્ની વચ્ચે ખેંચતાણ

પંજાબમાં EDના દરોડા બાદ ચરણજીત ચન્ની અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. શુક્રવારે ચમકૌર સાહિબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા સીએમ ચન્નીએ કેજરીવાલ સામે મોરચો ખોલ્યો હતો. ચન્નીએ કહ્યુ કે કેજરીવાલે હદ વટાવી દીધી છે. ઉપરાંત ચન્નીએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને માફી માંગવાની આદત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ

ગડકરી, મજીઠિયા, જેટલીએ બધાની માફી માંગી છે. ચૂંટણીમાં તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે. હું કેજરીવાલને માફી માંગીને છોડવાનો નથી. હું કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરવા જઈ રહ્યો છું. જ્યારે પત્રકારોએ ચન્નીને પૂછ્યું કે કોંગ્રેસમાં સીએમનો ચહેરો કોણ બનશે, ચન્ની, સિદ્ધુ કે જાખડ તો તેમણે કહ્યું કે આ થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

 

આ પણ વાંચો : ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ

Published On - 6:08 pm, Fri, 21 January 22

Next Article