JDU અને TDP બની શકે છે કિંગમેકર ! ભાજપને બહુમતી નહીં મળે તો કોના સહારે બનાવશે સરકાર ?

|

Jun 04, 2024 | 8:33 PM

TDPના વડા ચંદ્રબાબુ નાયડુ છે અને JDUના વડા નીતિશ કુમાર છે. જ્યાં બંને પક્ષોને લગભગ 28 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો કે, I.N.D.I.A એલાયન્સ પણ આ બંને પક્ષોને આકર્ષીને એનડીએને ત્રીજી વખત સરકાર બનાવતા રોકવા માંગે છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ રાષ્ટ્રીય રાજકારણની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયા છે.

JDU અને TDP બની શકે છે કિંગમેકર ! ભાજપને બહુમતી નહીં મળે તો કોના સહારે બનાવશે સરકાર ?
Chandrababu Naidu and Nitish Kumar

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામોએ ભાજપને ઝટકો આપ્યો છે. જો કે ભાજપ એનડીએના બળ પર સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે એનડીએના બે સહયોગી એવા છે જે સરકાર બનાવવામાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. જેમાંથી એક નીતીશ કુમારની JDU છે, જ્યારે બીજી આંધ્ર પ્રદેશમાં TDP એટલે કે તેલુગુ દેશમ પાર્ટી નવી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

TDPના વડા ચંદ્રબાબુ નાયડુ છે અને JDUના વડા નીતિશ કુમાર છે. જ્યાં બંને પક્ષોને લગભગ 28 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો કે, I.N.D.I.A એલાયન્સ પણ આ બંને પક્ષોને આકર્ષીને એનડીએને ત્રીજી વખત સરકાર બનાવતા રોકવા માંગે છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ રાષ્ટ્રીય રાજકારણની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયા છે.

વિપક્ષ JDU અને TDPનો સંપર્ક કરવામાં વ્યસ્ત

આ વખતે એનડીએ 292 બેઠકો સાથે બહુમતી મેળવતું દેખાઈ રહ્યું છે, પરંતુ I.N.D.I.A ગઠબંધન પણ 234 બેઠકો સાથે બહુમતીથી દૂર નથી. આવી સ્થિતિમાં એવું પણ શક્ય છે કે ભાજપને તેના સહયોગીઓ સાથ ના આપે તો સરકાર બનાવી શકશે નહીં, જેડીયુ અને ટીડીપી ત્રીજી વખત ભાજપ પાસેથી સત્તાની લગામ છીનવી શકે છે. જો કે બંને પક્ષોએ હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ વિપક્ષોએ તેમની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બંને પક્ષો અત્યાર સુધીમાં 28 બેઠકો પર આગળ છે

વિપક્ષી ગઠબંધન માટે સૌથી સરળ ટાર્ગેટ સીએમ નીતિશ કુમાર છે, જેમણે તાજેતરમાં I.N.D.I.A. ગઠબંધનમાંથી પક્ષ બદલીને NDAમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં જો નીતીશ કુમાર ફરી વિપક્ષ તરફ ઝૂકશે તો મોટી વાત નહીં હોય. જ્યારે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી પણ ચૂંટણી પહેલા એનડીએમાં પરત ફરી હતી. તમને જણાવી દઈએ કે બંને પક્ષોને અત્યાર સુધીના ટ્રેન્ડમાં 28 બેઠકો મળી શકે છે.

Published On - 8:06 pm, Tue, 4 June 24

Next Article