AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Opinion Poll: બજરંગ દળના મુદ્દાએ કર્ણાટકની ચૂંટણી બદલી? જાણો કેવી રીતે સત્તાની રેસમાં ભાજપ આગળ નીકળ્યું

Karnataka Opinion Poll: જ્યારથી કોંગ્રેસે કર્ણાટકમાં બજરંગ દળનો મુદ્દો ભાજપને આપ્યો છે, ત્યારથી તે નુકસાનમાં જણાઈ રહ્યું છે. TV9ના ઓપિનિયન પોલમાં ભાજપ સરકાર બનાવવાની નજીક છે.

Karnataka Opinion Poll: બજરંગ દળના મુદ્દાએ કર્ણાટકની ચૂંટણી બદલી? જાણો કેવી રીતે સત્તાની રેસમાં ભાજપ આગળ નીકળ્યું
karnataka Elections opinion polls tv9
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 9:40 PM
Share

કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળનો મુદ્દો છવાયેલો રહ્યો છે. ભાજપ આ મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રેલીમાં આ અંગે બોલવામાં પાછીપાની કરી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ બજરંગ બલીને જેલમાં ધકેલી દેવા માંગે છે. વાસ્તવમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. આ મામલો સામે આવ્યા બાદ કર્ણાટકમાં કેવી સ્થિતિ બદલાઈ છે તે અંગે TV9ના પત્રકારોએ એક મોટો સર્વે કર્યો છે. આ સર્વે મુજબ ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

TV9ના પત્રકારોએ કર્ણાટકના લોકોને પૂછ્યું કે શું બજરંગ દળનો વિવાદ કર્ણાટકમાં કોંગ્રેસની ચૂંટણીની સંભાવનાઓને અસર કરશે ?

  • 54% લોકોએ હામાં જવાબ આપ્યો
  • 26% લોકોએ ના જવાબ આપ્યો
  • 20% લોકોએ કહ્યું કે તેઓ આ વિશે કશું કહી શકતા નથી

અમારો બીજો પ્રશ્ન એ હતો કે શું પીએમ મોદી પર કોંગ્રેસના વ્યક્તિગત હુમલાથી ભાજપને ફાયદો થશે ?

  • 51% લોકોએ હામાં જવાબ આપ્યો
  • 27% લોકોએ ના જવાબ આપ્યો
  • 22% લોકોએ કહ્યું કે તેઓ આ અંગે કંઈ કહી શકતા નથી

ત્રીજો સવાલ એ હતો કે કર્ણાટકમાં કોની સરકાર બનશે ?

  • 45% લોકોએ કહ્યું કે ભાજપ
  • 32% લોકોએ કહ્યું કે કોંગ્રેસ
  • 12% જેડીએસ કહે છે
  • 5% લોકોએ કહ્યું કે ભાજપ અને જેડીએસની ગઠબંધન સરકાર બનશે
  • 6% લોકોએ કહ્યું કે કોંગ્રેસ અને JDS મળીને સરકાર બનાવશે

ચોથો અને મોટો પ્રશ્ન એ હતો કે કર્ણાટકમાં કોને કેટલી સીટો મળશે?

  • ભાજપને 105-110 બેઠકો
  • કોંગ્રેસને 90-97 બેઠકો
  • જેડીએસને 19-22 બેઠકો
  • અન્ય 0-5 બેઠકો

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 224 સીટો છે. બહુમત માટે 113 સીટોની જરૂર છે. સર્વેમાં ઘણી બાબતો સામે આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં જે વાતાવરણ કોંગ્રેસની તરફેણમાં હતું, 2 મેના રોજ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ હવે ભાજપની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે.

હવે 45% માને છે કે ભાજપ સરકાર બનાવશે, જે એપ્રિલના અંતમાં 36% હતી. ત્યારે 38% કોંગ્રેસ સરકાર બનાવી રહ્યાના પક્ષમાં હતા, જ્યારે હવે 32% કોંગ્રેસના પક્ષમાં છે.

લોકોને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ જે મફતમાં જાહેરાતો કરી રહી છે તેનાથી શું ફાયદો થશે ?

  • 32 ટકા લોકોએ હા કહ્યું
  • 56 ટકાએ ના કહ્યું
  • એપ્રિલના છેલ્લા અઠવાડિયે, જેમણે હા પાડી હતી તે 41% હતા, જ્યારે ના કહેનારાઓની સંખ્યા 38% હતી.

મતદારો માટે સૌથી મહત્વનો મુદ્દો શું છે ?

  • રાજ્ય વિકાસ 45%
  • નોકરી 21%
  • ભ્રષ્ટાચાર 13%
  • કોમવાદ 15%

લોકોને પૂછ્યું- આ વિધાનસભા ચૂંટણીમાં તમે કોને મત આપશો?

  • ભાજપ 48%
  • કોંગ્રેસ 33%
  • જેડીએસ 14%
  • અન્ય 5%
  • એપ્રિલના છેલ્લા સપ્તાહમાં 34% લોકોએ ભાજપને મત આપ્યો હતો. જ્યારે 40% કોંગ્રેસને પસંદ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : SCO : એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, ભારત-ચીન સરહદ વિવાદ પર લાંબી ચર્ચા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">