AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi ની અંબાજી મુલાકાત લઇને મંદિર પરિસર અને શહેર રોશનીથી શણગારાયું

PM Modi ની અંબાજી મુલાકાત લઇને મંદિર પરિસર અને શહેર રોશનીથી શણગારાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 10:34 PM
Share

પીએમ મોદી(PM Modi)  શુક્રવારે અંબાજીની(Ambaji)  મુલાકાત લેશે. જે અંતર્ગત અંબાજી શહેર અને મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. મોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. એટલું જ નહીં માર્ગમાં શિલ્પોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવ્યા છે

પીએમ મોદી(PM Modi)  શુક્રવારે અંબાજીની(Ambaji)  મુલાકાત લેશે. જે અંતર્ગત અંબાજી શહેર અને મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. મોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. એટલું જ નહીં માર્ગમાં શિલ્પોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવ્યા છે. ભારત સરકારની વિકાસ યાત્રા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પહોંચશે અને અંબાજીમાં યાત્રાળુઓની વિવિધ સુવિધાઓ માટે 53 કરોડના વિકાસ કાર્યોનું ભૂમીપૂજન કરશે.અંબાજીને રેલમાર્ગ સાથે જોડતી યોજનાનો ખાતમુહર્ત કરશે.. તેમજ PM મોદી માં અંબાજીના આશિર્વાદ લઈને પૂજા અર્ચના કરશે.

પીએમ મોદી  તેમના ગુજરાત પ્રવાસે શક્તિપીઠ અંબાજી  જશે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદીને માતા અંબાજીમાં અતૂટ શ્રદ્ધા છે. અહીંના લોકોના કહેવા પ્રમાણે, બાળપણથી જ પીએમ નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવતા હતા. આ પછી, જ્યારે તેણે રાજકીય જીવનમાં પદાર્પણ કર્યું, તે પછી તેમનો વિશ્વાસ વધુ વધ્યો. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે માતા શક્તિનું સ્વરૂપ છે અને માતાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા આપી છે. તેમનો દાવો છે કે મુખ્યમંત્રી બન્યા બાદ પણ વડાપ્રધાન અવારનવાર અહીં આવતા હતા અને તેઓ વડાપ્રધાન બન્યા બાદ પણ અહીં આવ્યા છે.

Published on: Sep 29, 2022 10:27 PM
g clip-path="url(#clip0_868_265)">