AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit: ગુજરાતની જનતાએ મારી જાતિ જોયા વિના મને ચૂંટણીમાં વિજેતા બનાવ્યો છે. : પીએમ મોદી

PM Modi Gujarat Visit:  ગુજરાતની(Gujarat)ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi)મહેસાણામાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો છેલ્લા બે દાયકાથી તેમને આશીર્વાદ આપે છે અને તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના તેમને મત આપે છે. વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાને(Modhera)દેશનું પ્રથમ સોલાર વિલેજ જાહેર કર્યું છે

PM Modi Gujarat Visit: ગુજરાતની જનતાએ મારી જાતિ જોયા વિના મને ચૂંટણીમાં વિજેતા બનાવ્યો છે. : પીએમ મોદી
PM Modi Gujarat Visit Mehsana
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:05 PM
Share

PM Modi Gujarat Visit:  ગુજરાતની(Gujarat)ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi)મહેસાણામાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો છેલ્લા બે દાયકાથી તેમને આશીર્વાદ આપે છે અને તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના તેમને મત આપે છે. વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાને(Modhera)દેશનું પ્રથમ સોલાર વિલેજ જાહેર કર્યું છે. તેમણે મહેસાણા જિલ્લાને પણ 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા તેમાં હવે સોલાર પાઈપ લાઈન નાખી દેતા સમગ્ર ચિત્ર બદલી નાખ્યો. સરકાર લાખો સોલાર પંપ વિસ્તરીત કરી રહી છે. ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવીએ.જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.

ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ

પીએમ મોદીએ કહ્યું કે, આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણી થી લઇ રોડ, રેલવે સુધી અને ડેરીના માધ્યમથી વિકાસ અને આરોગ્યથી અનેક યોજનાઓનું આજે લોકર્પણ અને શિલાન્યાસ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેલવાડામાં સંબોધન કરી રહ્યા છે. દેલવાડામાં પીએમએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આજે આપણે ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.

ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા થી 100 ટકા સુધીની બચત

જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ 1300થી વધુ ઘરો પર લગાવવામાં આવેલી 1 કિલોવોટની રૂફટોપ સોલાર સિસ્ટમોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવી છે જેના કારણે ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા થી 100 ટકા સુધીની બચત પણ થશે અને જો વીજળીની બચત થશે તો ગ્રામજનોને વધારાના પૈસા પણ ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અતિ મહત્વની છે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન રૂ. 14,600 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">