Gujarat Election : અમદાવાદની (Ahmedabad) ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodiya Assembly Seat) ભાજપનો મજબૂત કેસરિયો કિલ્લો ગણાય છે. પાટીદાર મતદારોનું (Patidar Voters) પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠક પર ગત બે ટર્મથી ભાજપ 1 લાખથી વધુ મતોથી વિજયી બન્યું છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે. પૂર્વ CM આનંદીબેન પટેલ (Anandiben Patel) અને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) મત વિસ્તારમાં રોડ, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતાના કાર્યો કેટલા થયા છે. વિકાસ કાર્યોથી પ્રજા કેટલી ખુશ છે. આ વિસ્તારમાં કયા કાર્યો હજી થવાના બાકી છે, શું છે પ્રજાજનોનો મત….?
અમદાવાદની આ બેઠકના મત ગણિતની વાત કરીએ તો કુલ મતદારો 3 લાખ 57 હજાર 367 છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 83 હજાર 823 અને સ્ત્રી મતદારો 1 લાખ 73 હજાર 542 છે. અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠક પરથી જ CM ભૂપેન્દ્ર પટેલે જીત હાંસલ કરી હતી. ઘટલોડિયા બેઠક એ ભાજપનો (BJP) ગઢ ગણાય છે.
જો 2017 ના ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર 652 મત મળ્યા હતા. તો કોંગ્રેસમાંથી (Congress) લડી રહેલા શશિકાંત પટેલને 57,902 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 72.5 ટકા રહ્યો હતો. જો 2012 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ પાર્ટીમાંથી લડેલા આનંદીબેન પટેલે 1.10 લાખ મત મળ્યા હતા તો કોંગ્રેસમાંથી લડેલા રમેશ પટેલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 74.61 રહ્યા હતો. જો આ બેઠકના જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો ઘાટલોડિયામાં સૌથી વધુ પાટીદારોની 70 થી 78 હજાર વસ્તી છે. તો રબારી-માલધારી મતદારો 40 હજારથી વધુ છે. જેમાં 53 ટકા પુરૂષો અને 47 ટકા મહિલા મતદારો છે.
અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠક નવા સીમાંકન બાદ 2008માં બેઠક અસ્તિત્વમાં આવી છે. ઘાટલોડિયા બેઠકને સરકાર (Gujarat Govt) સાથે સીધો સંબંધ છે. કારણ કે આ બેઠકથી ગુજરાતના નવા CM પદનો રસ્તો ખુલે છે. અહીંથી જ આનંદી બેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ જીતીને મુખ્યપ્રધાન બન્યા હતા. શહેરી મતદારોનો (Voters) ભાજપ તરફ પહેલાથી ઝુકાવ છે, ત્યારે અહીંના મતદારો EVM પર કઈ પાર્ટીનું નિશાન દબાવશે તે જોવુ રહ્યું.