ગુજરાતમાં ચૂંટણીના પડઘમ (Gujarat Election 2022) વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો મેળવવા આમ આદમી પાર્ટીએ કમર કસી છે અને ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આ ચૂંટણીમાં પહેલીવાર પોતાનું નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એકબીજા પર નિશાન સાધવાની કોઈ તક છોડી રહ્યાં નથી. આ બધાની વચ્ચે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ (Manish Sisodiya) ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી.આર. પાટીલને ગુજરાતની મુલાકાત લેવા અને ત્યાંની સરકારી શાળાઓનું સ્તર જોવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે ભાજપના નેતાઓ તેનાથી પીછેહઠ કરશે નહીં.
નોંધનીય છે કે ગત રોજ સુરતમાં સી.આર. પાટીલે (C.R.Patil) AAP નેતાઓ પર ગુજરાતમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો અને તેમને રાજ્યની સરકારી શાળાઓમાં તેમના ધોરણો જોવા માટે આમંત્રણ આપ્યું હતું.નાયબ મુ્ખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે તેઓ ખુશ છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય પ્રવચનમાં શિક્ષણ એ એક એજન્ડા બની ગયું છે, કારણ કે તેમણે પાટીલને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું અને જુઓ કે આ શાળાઓને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા કેવી બનાવવામાં આવી છે.
भाजपा गुजरात के प्रदेश अध्यक्ष CR पाटिल जी ने कहा है कि भाजपा सरकार ने 73 सरकारी स्कूल अच्छे बनाए है साथ ही हमें इन्हें देखने के लिए आमंत्रित भी किया है
इन्हे 73 सरकारी स्कूल ठीक करने मे 27 साल लग गए,ऐसे तो गुजरात के सभी 40,800 स्कूलों को ठीक करने मे इन्हे 15,000 साल लग जाएँगे
— Manish Sisodia (@msisodia) October 6, 2022
સી.આર.પાટીલે તેમની સભા દરમિયાન જણાવ્યું હતું કે લોકો અહીં આવીને ખૂબ સારુ શિક્ષણ આપવાની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. પાટીલે જણાવ્યુ કે મારુ તેમને આમંત્રણ છે કે એકવાર અહીં આવીને જુએ તો તેમને તેમની બધી ખામીઓ દેખાઈ જશે. પાટીલે ઉમેર્યુ કે સુરત મહાનગર પાલિકા અને ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર જે પ્રકારે છે તે એ પણ જોવા મળશે.
મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. તેમણે દાવો કર્યો કે રાજ્યના લોકો સારી શાળાઓ ઈચ્છે છે અને માનતા હતા કે આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવ્યા પછી પાંચ વર્ષમાં ત્યાંની શાળા શિક્ષણ પ્રણાલીને બદલી શકે છે. સિસોદિયાની ટિપ્પણી એવા સમયે આવી જ્યારે પાટીલે AAP નેતાઓ પર ગુજરાતમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો અને તેમને રાજ્યની સરકારી શાળાઓમાં તેમના ધોરણો જોવા માટે આમંત્રણ આપ્યું.
Published On - 7:45 am, Fri, 7 October 22