Gujarat Election 2022 : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. જેમાં Tv9ના સત્તા સંમેલન ગુજરાત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ જે પણ હોય પરંતુ ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે અને આ વખતે ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે. અમિત શાહે કહ્યુ ગુજરાતના લોકો બધુ જાણે છે. અમે જે કહ્યુ તે કરી બતાવ્યુ છે. અમારા ચૂંટણી એજન્ડામાં રામ મંદિર, કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાક સહિતના મુદ્દાઓ હતા. ક્લિયર મેજોરિટી બનતા જ અમારી સરકારે એક ઝાટકે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનુ કામ કર્યુ
અમિત શાહે જણાવ્યું હતું કે હું દિવાળીથી અત્યાર સુધી 42 બેઠકો પર ગયો છું. તેમજ આ બેઠકો પર મને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ જોવા મળી છે. જેમાં આમ આદમી પાર્ટી જોવા નથી મળતી. તેમજ આમ આદમી પાર્ટીની આ પ્રથમ ચૂંટણી છે. તેમનએ એક પણ ચૂંટણી ગંભીરતાથી લીધી નથી.
કોંગ્રેસ આરોપ લગાવે છે કે ભાજપ અમારા લોકોને તોડી રહી છે. આ આરોપ અંગે અમિત શાહે જણાવ્યુ કે અમારા પર આરોપ લગાવતા પહેલા તેમણે આત્મચિંતન કરવુ જોઈએ કે તેમના લોકો છોડીને કેમ જઈ રહ્યા છે.
અમિત શાહે જણાવ્યુ કે, વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ વિશે કોઈ સવાલ હોઈ જ ન શકે. તેમના દેશ માટેના યોગદાનને ભૂલી ન શકાય. વીર સાવરકરે અંગ્રેજોની નીતિઓ પર પુસ્તક લખ્યુ હતુ અને અંગ્રેજોએ એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો. વીર સાવરકર દેશના વીર સપૂત હતા આથી જ વિરોધીઓ પણ તેને વીર સાવરકર કહેવુ પડે છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે અમિત શાહે કહ્યુ કે તેમને કોઈ ગંભીરતાથી લેતુ હોય એવુ મને લાગતુ નથી.
ગુજરાત ચૂંટણી સમયે 182 બેઠકો માટે ભાજપમાં 4200 ઉમેદવારોએ લડવા માટેની દાવેદારી કરી,આ અંગે અમિત શાહે જણાવ્યુ કે જેટલી જીતવાની સંભાવના વધુ એટલા ટિકિટ માટેના દાવેદાર પણ વધુ હોય છે. અમિત શાહે કહ્યું કે હું પક્ષનો સામાન્ય કાર્યકર છું. તેમજ પડદા -પોસ્ટર લગાવીને અને બુથથી આગળ વધ્યો છે.
Published On - 8:15 pm, Sun, 20 November 22