Gujarat Election 2022: સહપ્રભારી બન્યા બાદ શનિવારે પ્રથમ વાર ગુજરાત આવશે આપ નેતા રાઘવ ચઢ્ઢા, જનતાનો જાણશે મિજાજ
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે સવારે રાજકોટ જશે. જ્યાં તેઓ પાર્ટટીના કાર્યકર્તાઓ અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને ધ્યાનમાં રાખીને, તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમા ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ગુજરાતના સહ પ્રભારી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે સવારે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ પાર્ટીના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાઘવ ચઢ્ઢા બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને સાંજે મહાત્મા ગાંધીના બાળપણના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમના આશિર્વાદ લેશે.
આપના રાઘવ ચઢ્ઢા એક કુશળ રાજકારણી અને સંચાલક છે. ત્યારે આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને ગુજરાતના યુવાનો વચ્ચે જોશ-શોરથી ઉતરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે, આમ આદમી પાર્ટીને આશા છે કે રાઘવ ચઢ્ઢાની ગુજરાતની મુલાકાત પછી, શહેરી- ગ્રામીણ વિસ્તારોમાં અને યુવાનો વચ્ચે પાર્ટીને ફાયદો થશે. જો કે આપ યુવાનોમાં ઘણી લોકપ્રિય પણ છે. તેથી, આપ પાર્ટી તેનો લાભ લેવા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અભિયાનની તૈયારીઓ માટે ચઢ્ઢાને મોકલી રહી છે.
સહ -ઇન્ચાર્જ બન્યાબાદ પ્રથમવાર ગુજરાતની મુલારાતે રાઘવ ચઢ્ઢા
રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત માટે એક મહત્વપૂર્ણ સૂત્રધાર અને સહ પ્રભારીની ભૂમિકામાં રહ્યા છે. આવી સ્થિતિમાં, આપએ તેમને ગુજરાતમાં પાર્ટી બાબતોના સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ચઢ્ઢા દિલ્હી અને પંજાબમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા એક કુશળ રાજકારણી અને સંચાલક માનવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી.
દિલ્હી અને પંજાબમાં નિભાવી ચુક્યા છે મહત્વપૂર્ણ જવાબદારી
ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ દ્વારા આમ આદમી પાર્ટીએ પંજાબની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. રાઘવ ચઢ્ઢાના કહેવાથી જ ભગવંત માનને પંજાબમાં મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને પરિણામ એ આવ્યું કે પંજાબમાં આપની ઐતિહાસિક જીત મેળવી. અગાઉ, રાઘવ ચઢ્ઢા દિલ્હી અને પંજાબમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. તો પંજાબમાં, AAP એ 117 માંથી 92 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મોકલ્યા હતા.