ભાજપે આજથી પ્રથમ ચરણની વિધાનસભા સીટો પર ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના પ્રચાર માટે પહોંચ્યા હતા, જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો હિસાબ લોકો સમક્ષ મૂક્યો હતો, નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને ઉદયકાનગડના સમર્થનમાં ભાજપને મત આપવા લોકોને અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટી પર નિશાન ચેપી લડાઈ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં એવો માહોલ ઊભો કરી દે છે કે જાણે તે રાજ્યમાં બીજું કોઈ રાજકીય પાર્ટી જ ન હોય ઉત્તર પ્રદેશમાં પણ તેમણે આવો માહોલ ઊભો કર્યો હતો અને પછી મોટાભાગની સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ભૂલ થઈ ઉત્તરાખંડમાં પણ આ જ થયું હતું અને હિમાચલમાં પણ આ જ થશે હું ગુજરાતના લોકોને અપીલ કરું છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરા ચાલુ રહે તેવું મતદાન કરે
જેપી નડ્ડાએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે નર્મદા ડેમ પર પાટિયા મુકવા માટે પરવાનગી માંગી રહ્યા હતા. પરંતુ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર કંઈ જ કરવા માગતી ન હતી મનમોહનસિંહ કંઈ જાણતા ન હોય તે રીતે કંઈ બોલવા તૈયાર ન હતા.
જે.પી.નડ્ડાએ કહ્યુ હતું કે નવા ભારતની ગંગોત્રી ગુજરાત છે. કેન્દ્ર સરકારે ગુજરાતને અનેક ભેટ આપી છે. એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ ,ગિફ્ટ સિટી સહિતની મોટી ભેટ આપી છે. ગુજરાત સહિત દેશમાં કોરોનામાં સરકારની કામગીરી નોંધપાત્ર રહી છે. ગરીબોને અનાજ, જનધન ખાતા,ખેડૂતોને સહાય સહિત અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.