Bhavnagar: પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ, બે લાખ વધુ જનમેદની ઉમટવાની શક્યતા

|

Sep 25, 2022 | 9:16 PM

ભાવનગરમાં(Bhavnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) આગમન પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઈ ચૂંક ન રહે તે માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું

Bhavnagar: પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ, બે લાખ વધુ જનમેદની ઉમટવાની શક્યતા
Gujarat Home Minister Harsh Sanghavi Visit Bhavnagar

Follow us on

ભાવનગરમાં(Bhavnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) આગમન પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઈ ચૂંક ન રહે તે માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.ગૃહ મંત્રીએ નવરાત્રીની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને રમી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પણ ખાતરી પણ આપી હતી. ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને સભા યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી બે લાખથી વધુ લોકો જાહેર સભામાં ભાગ લેવાની શક્યતા છે હાલ વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમ સભાને સંબોધિત કરવાના છે.

અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતો મેળવી

આજે તૈયારીઓના ભાગરૂપે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જેમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું, આ સાથે જ રાજ્યના ગૃહ મંત્રીએ ભાવનગરમાં યોજાઇ રહેલ નેશનલ ગેમ્સ સ્પર્ધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.

ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રિની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે, કોરોનાના ત્રણ વર્ષ બાદ નવરાત્રિના ભવ્ય આયોજન થઈ રહ્યા છે. માટે નવા નિયમો સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને જણાવતા કહ્યું હતુ કે આપણી પરંપરા અને સંસ્કૃતિને કોઈ ઠેસ ન પહોંચે તે માટે ગરબા અને ગીતોમાં પરંપરા જાળવવી જોઈએ.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

(With Input Ajit Gadhavi Bhavnagar) 

Published On - 8:08 pm, Sun, 25 September 22

Next Article