ભાવનગરમાં(Bhavnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) આગમન પૂર્વે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કોઈ ચૂંક ન રહે તે માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ સ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.ગૃહ મંત્રીએ નવરાત્રીની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને રમી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પણ ખાતરી પણ આપી હતી. ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને સભા યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી બે લાખથી વધુ લોકો જાહેર સભામાં ભાગ લેવાની શક્યતા છે હાલ વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમ સભાને સંબોધિત કરવાના છે.
આજે તૈયારીઓના ભાગરૂપે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જેમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું, આ સાથે જ રાજ્યના ગૃહ મંત્રીએ ભાવનગરમાં યોજાઇ રહેલ નેશનલ ગેમ્સ સ્પર્ધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રિની શુભેચ્છાઓ સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે, કોરોનાના ત્રણ વર્ષ બાદ નવરાત્રિના ભવ્ય આયોજન થઈ રહ્યા છે. માટે નવા નિયમો સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને જણાવતા કહ્યું હતુ કે આપણી પરંપરા અને સંસ્કૃતિને કોઈ ઠેસ ન પહોંચે તે માટે ગરબા અને ગીતોમાં પરંપરા જાળવવી જોઈએ.
(With Input Ajit Gadhavi Bhavnagar)
Published On - 8:08 pm, Sun, 25 September 22