ગુજરાતની બાપુનગર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: બાપુનગર બેઠક પરથી દિનેશ કુશવાહની જંગી જીત, આ બેઠક પર કોગ્રેંસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 3,33,84,382ની જંગમ મિલકત છે. હિંમતસિંહ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેશ દીક્ષિતને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમા તેની કારમી હાર થઇ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપર પણ ત્રીપાંખિયો જંગ જોવા મળ્યો છે. હિન્દીભાષી મતદારોથી પ્રભાવિત બાપુનગર બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જગરુપસિંહ રાજપૂતને કોંગ્રેસના હિંમતસિંહ ગુર્જરે હરાવ્યાં હતા. 2017ની ચૂંટણીના પરિણામને ધ્યાને લઈે કોંગ્રેસે ફરી એકવાર હિંમતસિંહને ટિકિટ ફાળવી હતી. તો ભાજપે યુવા કાર્યકર દિનેશ કુશવાહને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. 2012ની ચૂંટણીમાં ભાજપના જગરુપસિંહ રાજપૂતે કોંગ્રેસના ધીરુભાઈ દૂધવાળાને હરાવ્યા હતા.
બાપુનગર બેઠક નવા સિમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા બાપુનગરનો મોટાભાગનો વિસ્તાર રખિયાલ વિધાનસભા વિસ્તારમાં થતો હતો. જે સિમાંકનને કારણે બેઠક રદ થઈ અને તેના સ્થાને નવા વિસ્તારોના સમાવેશ સાથે બાપુનગર બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠક ઉપર મુખ્યત્વે હિન્દીભાષી ઉપરાંત મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થઈ રહ્યાં છે. ઓબીસી અને દલિત મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી રાજકીય પક્ષો માટે આ બેઠક પર હિન્દીભાષીને ઉમેદવાર બનાવવા એ પહેલી પસંદ રહી છે. 2012માં જીતનાર જગરુપસિંહ રાજપૂત મુળ ઉત્તરપ્રદેશના છે. તેઓ એક સમયે ભાજપના ભાગલા પડ્યા ત્યારે શંકરસિંહની આંગળી પકડીને ચાલ્યા હતા. જો કે પછી તેઓ ભાજપમાં ભળી ગયા હતા. તો 2017માં વિજય થનારા હિંમતસિંહ ગુર્જર મૂળ રાજસ્થાનના છે. તેઓ અમદાવાદ શહેરના મેયરપદે પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં જાત મળ્યા બાદ કોંગ્રેસ બાપુનગર બેઠકને પોતાનો ગઢ બનાવવા પ્રયાસ કરી રહી છે. પરંતુ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઔવેસીનો AIMIM પક્ષ કોંગ્રેસની મનની મનમાં રાખે તો નવાઈ નહીં.
2017ની ચૂંટણીમાં બાપુનગર બેઠક પર કુલ 1,89,648 મતદારો નોંધાયા હતા. જ્યારે 2022માં મતદારોમાં 15,605નો વધારો થવા પામ્યો છે. 2022ની ચૂંટણી માટે 2,05,298 મતદારો નોંધાયા છે. જેમા 1,07,924 પુરુષ અને 97,361 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ