AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાંચ ચૂંટણી રાજ્યોમાં કોરોના રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસવીર નહીં હોય, CoWIN પોર્ટલમાં કરાશે જરૂરી ફેરફાર

માર્ચ 2021 માં, આરોગ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન પગલાં લીધાં હતાં.

પાંચ ચૂંટણી રાજ્યોમાં કોરોના રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીની તસવીર નહીં હોય, CoWIN પોર્ટલમાં કરાશે જરૂરી ફેરફાર
PM Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 11:12 PM
Share

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત 5 રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવા જઈ રહી છે, ત્યાં કોવિડ-19 રસીકરણ (Corona Vaccine) પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) કોઈ તસવીર નહીં હોય, કારણ કે ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા માટે CoWIN પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે.

આદર્શ આચારસંહિતા અમલમાં આવી

ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

એક સત્તાવાર સૂત્રએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, પાંચ ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે, આરોગ્ય મંત્રાલય કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે જેથી કરીને લોકોને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાનની તસવીર હટાવવામાં આવે. માર્ચ 2021 માં, આરોગ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન પગલાં લીધાં હતાં.

15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થશે અને તે 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે. બીજી તરફ ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 10 માર્ચે આવશે.

પંચની આ જાહેરાત સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કોવિડ-19 સંક્રમણના વધતા જતા કેસ અને તેના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવા પર ભાર મૂક્યો અને એ પણ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કોઈપણ પ્રકારની રેલી કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં. 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા કે સાયકલ કે બાઇક રેલી કે શેરી સભા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Punjab Assembly Election: અમરિન્દરની પંજાબ લોક કોંગ્રેસ ચૂંટણીમાં ભજવશે મોટી ભૂમિકા, 5 ઉપાધ્યક્ષ અને 17 મહાસચિવોની કરી નિમણૂક

આ પણ વાંચો : ચૂંટણી એ સરકાર બદલવાનું માધ્યમ નથી, સમાજ અને દેશમાં પરિવર્તન લાવવાની તક: અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચારની કરી શરૂઆત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">