દેશની બધી જ સ્કૂલમાં બદલાશે યુનિફોર્મ ? જુઓ NCERT ની નવી ગાઈડલાઈન

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ વિદ્યાર્થીઓને કોઈપણ એક જેન્ડર સુધી મર્યાદિત નથી કરતા. આ પ્રકારનો યુનિફોર્મ (School Uniform) છોકરાઓ અને છોકરીઓ અથવા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ વચ્ચેના વિભાજનને સમાપ્ત કરે છે.

દેશની બધી જ સ્કૂલમાં બદલાશે યુનિફોર્મ ? જુઓ NCERT ની નવી ગાઈડલાઈન
Students
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 4:59 PM

લગભગ એક વર્ષ પહેલા NCERTએ ટ્રાન્સજેન્ડર બાળકોને શાળાઓમાં સામેલ કરવા અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પરંતુ આ રિપોર્ટ પર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. NCPCRએ સલાહ આપી કે રિપોર્ટમાં જેન્ડર-ન્યૂટ્રલ શૌચાલય અને તરુણાવસ્થા અવરોધકોનો ઉલ્લેખ નથી. હવે NCERTએ હવે એક નવું મેન્યુઅલ બહાર પાડ્યું છે. આ નવી માર્ગદર્શિકામાં જેન્ડર-ન્યૂટ્રલ શૌચાલય અને તરુણાવસ્થા અવરોધક જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉના અહેવાલમાં જાતિ વ્યવસ્થા અને પિતૃસત્તા બંને વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NCERT દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ મેન્યુઅલનું શીર્ષક છે ‘Integrating Transgender Concerns in Schooling Processes’. જેમાં ટ્રાન્સજેન્ડર બાળકોને શાળામાં સામેલ કરવાની વાત સામે આવી છે. તે NCERT ના જાતિ અભ્યાસ વિભાગના વડા જ્યોત્સના તિવારીએ રચેલી 16 સભ્યોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં શાળાના બાળકો માટે જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ લાવવાની ભલામણ કરવામાં આવી છે.

જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ શું છે?

જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મને તે શાળા ડ્રેસ કહેવામાં આવે છે, જે દરેક માટે સમાન હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ વિદ્યાર્થીઓને કોઈપણ એક જેન્ડર સુધી મર્યાદિત નથી કરતા. આ પ્રકારનો યુનિફોર્મ છોકરાઓ અને છોકરીઓ અથવા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ વચ્ચેના વિભાજનને સમાપ્ત કરે છે. આ સંદેશ મોકલે છે કે કોઈ વ્યક્તિ છોકરો હોય કે છોકરી કે ટ્રાન્સજેન્ડર, તે બધા સમાન છે. કેરળના કોઝિકોડમાં 2020માં પ્રથમ વખત જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ રજૂ કરવામાં આવ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો : Exam અને Resultsને કારણે શાળાના બાળકોમાં વધી રહ્યો છે ગભરાટ, NCERT સર્વેમાં દાવો

મેન્યુઅલ જણાવે છે કે, કેટલાક વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધોરણ 6 થી ઉપરના વિદ્યાર્થીઓ પાસે કપડાંની પોતાની પસંદગી હોય છે. તેઓ કોઈ ખાસ પ્રકારના ડ્રેસમાં કમ્ફર્ટેબલ નથી લાગતા. શાળાઓ જેન્ડર ન્યુટ્રલ યુનિફોર્મ રજૂ કરી શકે છે, જે આરામદાયક, આબોહવા યોગ્ય, ફિટ અને જેન્ડર વિશિષ્ટ નથી. જો આ માર્ગદર્શિકા અપનાવવામાં આવે, તો એવી અપેક્ષા રાખી શકાય છે કે બધા માટે સમાન ગણવેશ હશે.

શૌચાલય વિશે શું કહ્યું?

NCERTના નવા રિપોર્ટમાં ટ્રાન્સજેન્ડર વિશે કહેવામાં આવ્યું છે કે ભારતમાં તેમને સ્વીકારવાનો લાંબો ઈતિહાસ છે. શૌચાલયના મુદ્દે એવું કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે ખાસ શૌચાલય હોવા જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ શાળામાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે શૌચાલય હોય, તો તેનો ઉપયોગ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">