એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)ને લઈને મોટા રાહતના સમાચાર આવ્યા છે. લાખો ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે JEE મેન્સ 2023 માં 75% ગુણના માપદંડને દૂર કરવાનો નિર્ણય લીધો છે પરંતુ દરેકને આ લાભ મળશે નહીં. IIT JEEમાં 75% માર્ક્સનો માપદંડ આંશિક રીતે નાબૂદ કરવામાં આવી રહ્યો છે. Education Ministryના સૂત્રોએ આ માહિતી આપી છે. જાણો તેમણે શું કહ્યું.
શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, CBSE, ICSE બોર્ડ, બિહાર બોર્ડ, UP બોર્ડ, રાજસ્થાન બોર્ડ સહિત દેશના તમામ શિક્ષણ બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઇલ વિદ્યાર્થીઓને આ રાહત આપવામાં આવી રહી છે. એટલે કે જો તમે 12માં બોર્ડની પરીક્ષામાં તમારા બોર્ડના ટોપ 20 પર્સેન્ટાઈલમાં આવો છો, તો તમારે IIT JEE Exam (JEE Advanced) આપવા માટે બોર્ડમાં 75% માર્ક્સની જરૂર રહેશે નહીં. ઓછા માર્ક્સ સાથે પણ તમે JEE એડવાન્સ પરીક્ષા આપી શકશો, જો તમે JEE મેન્સ પરીક્ષામાં ટોપ 2.5 લાખ ઉમેદવારોમાં આવો છો.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “20 પર્સેન્ટાઈલ માપદંડ એવા ઉમેદવારોને મદદ કરશે, જેમણે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં કુલ 75 ટકા કરતાં ઓછા ગુણ મેળવ્યા છે. ઘણા રાજ્યોના બોર્ડમાં ટોપ 20 પર્સેન્ટાઈલ ઉમેદવારોમાં ઘણા 75% માર્ક્સ પ્રાપ્ત કરી શકતા નથી. ખાસ કરીને ઘણા સ્ટેટ બોર્ડ એવા છે જ્યાં 350થી ઓછા માર્ક્સ પર જ ટોપ 20 પર્સેન્ટાઈલની લિસ્ટમાં સમાવેશ થાય છે. કારણ કે તેના બોર્ડની કડક માર્કિંગ યોજના. તેથી મંત્રાલયે નિર્ણય લીધો છે કે, જો કોઈ વિદ્યાર્થી ટોપ 20 પર્સેન્ટાઈલમાં હોય તો તે JEE એડવાન્સ માટે યોગ્ય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ્ડ માટે યોગ્યતાના માપદંડોને હળવા કરવાની સતત માગણીઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. JEE એડવાન્સ્ડમાં બેસવા માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી 12મા ધોરણની પરીક્ષામાં કુલ ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ જરૂરી છે. જો કે, કોવિડ દરમિયાન બે વર્ષ સુધી, આ નિયમ દરેક માટે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે તેનો ફરીથી અમલ કરવામાં આવ્યો છે.
JEE Main Exam સત્ર-1 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 12 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. આ પરીક્ષા 24થી 31 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે.