Education News: CBSE અને AICTE મળીને લૉન્ચ કર્યો Innovation Ambassador પ્રોગ્રામ
Education News : નવી શિક્ષા નિતિ અંતર્ગત આ પ્રોગામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગમાં શિક્ષકોને ઈનોવેશન એન્ડ એન્ટપ્રેન્યોરશિપના ગુણ વિકસાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે.
Education News: સીબીએસઈ (CBSE) અને એઆઈસીટીએ મળીને ઈનોવેશન એમ્બેસેડર પ્રોગામ લૉન્ચ કર્યો છે. સેંટ્રલ બોર્ડ ઑફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (AICTE) સાથે મળીને શરુ કરવામાં આવેલા પ્રોગામનું લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓના અંદર પ્રોગામ સોલ્વિંગ અને ક્રિટિકલ થિકિંગ જેવા ગુણો વિકસિત કરવાનો. આ ઉદ્દેશ્યથી અધ્યાપકોને તાલીમ આપવામાં આવે.
નવી શિક્ષા નિતિ અંતર્ગત આ પ્રોગામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગમાં શિક્ષકોને ઈનોવેશન એન્ડ એન્ટપ્રેન્યોરશિપના ગુણ વિકસાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. જેના થકી ભવિષ્યમાં યુવાઓ સારુ ભવિષ્ય બનાવી શકે.
ડિઝાઈન થિંકિંગ અને ઈનોવેશન
બૌધ્ધિક સંપદા અધિકાર
નાણા, વેચાણ અને માનવ સંસાધન
આઇડિયા જનરેશન આઈડિયલ હેન્ડ-હોલ્ડિંગ
ઉત્પાદ/પ્રોટોટાઇપ ડેવલેપમેન્ટ
આ બાબતમાં એઆઈસીટીઈના ચીફ ઈનોવેશન ઓફિસર અભય જેરે કહ્યું કે પ્રોગામ વિદ્યાર્થીઓમાં વિચારશીલતા વધારવા અને તેમનામાં મેટરિંગ ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરશે. આ સાથે જ આ પ્રોગામ દેશભરમાં સ્કૂલ શિક્ષણમાં ઈનોવેશન કલ્ચરને પણ આગળ વધારશે. સીબીએસઈના ચેરમેન મનોજ આહૂજાએ એઆઈસીટી સાથે અટલ એકેડમી અંતર્ગત પ્રશિક્ષણ કાર્યક્રમમાં શિક્ષકો, એઆઈ, બ્લોકચેન, કોડિંગ, સાઈબર સિક્યોરીટમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે ઈનોવેશન એમ્બેસેડર પ્રોગામ ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમમાં 40,000થી વધારે શિક્ષકોએ ભાગ લીધો છે. આપને જણાવી દઈએ કે ઓનલાઈન પ્રોગામમાં ભાગ લેવા બોર્ડ સ્કૂલ પાસેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન 10 મે સુધી માગ્યા હતા. સ્કૂલને આ તારીખ સુધી શિક્ષકોના નામ મોકલવાના હતા. રજિસ્ટ્રેશન માટે સીબીએસઈની અધિકારિક વેબસાઈટ પર જઈને લોગઇન કરવુ પડશે.
આ પણ વાંચો: VADODARA : વાઘોડિયાની એક અનોખી શાળા, ખેતી- વૃક્ષ ઉછેરની સાથે અદ્યતન લેબમાં કોમ્પ્યુટરની તાલિમ આપે છે