કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ન થઈ. પરંતુ દિવાળીની ઉજવણી થશે તે નક્કી લાગી રહ્યું છે. સુરત કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ફાળવણી માટે વેપારીઓ પાસે અરજી મંગાવી છે. જોકે, આ વર્ષે તહેવારની ઉજવણીમાં લોકોનો જ કાપ હોવાથી અરજીની સંખ્યા ઓછી રહે તેવી શક્યતા વ્યક્ત થઈ […]
Follow us on
કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ન થઈ. પરંતુ દિવાળીની ઉજવણી થશે તે નક્કી લાગી રહ્યું છે. સુરત કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ફાળવણી માટે વેપારીઓ પાસે અરજી મંગાવી છે. જોકે, આ વર્ષે તહેવારની ઉજવણીમાં લોકોનો જ કાપ હોવાથી અરજીની સંખ્યા ઓછી રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે જુદા જુદા વિસ્તારમાં દિવાળીના પર્વ નિમિત્તે કામચલાઉ ફટાકડાના સ્ટોલ માટે બુથનું આયોજન કર્યું છે. સુરત પોલીસની મંજુરી સાથે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જોકે ગયા વર્ષ કરતા અડધા સ્ટોલ અને દરેક સ્ટોલ વચ્ચે 3થી વધારીને 6 મીટર અંતર રાખવાનું નક્કી થયું છે.