અયોધ્યામાં જીવંત થઈ ગયો ત્રેતા યુગ, અયોધ્યા વાળી દિવાળીનો અદભૂત નજારો, સતત ત્રીજા વર્ષે અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિવશ્વસનિય દિવાળીની ઉજવણી કરવામાં આવી. ત્રેતા યુગને કોઈએ જોયો નથી. પરંતુ પ્રસંગોમાં માત્ર સાંભળ્યો જ છે. પરંતુ અયોધ્યામાં આવા અદભૂત દ્રશ્યો અંગે આજના યુગમાં કોઈએ સાંભળ્યું હશે કે, ન કોઈએ નિહાળ્યા હશે. સરિયૂના કિનારે 5.51 લાખ દીવડાઓથી ઝળહળતી અયોધ્યાએ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
History created in #Ayodhya as nearly 6 lakh diyas lit up Saryu banks on #Diwali#TV9News pic.twitter.com/GU041gU8IB
— Tv9 Gujarati (@tv9gujarati) October 27, 2019
રામ દરબાર અયોધ્યાની આ દિવાળી નિહાળનાર ક્યારેય ભૂલે નહીં કેમ કે, ભગવાન રામની નગરી અયોધ્યાને દુલ્હન જેવા શણગારથી સજાવવામાં આવી હતી. રામ નામથી દીવડાઓ ઝગમગી ઉઠેલી અયોધ્યાની દિવાળી અદભૂત, અલૌકિક, અવિશ્વસનિય દિવાળીની ઉજવણીના રંગે રંગાઈ હતી. દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું. આ પહેલા સરિયુ ઘાટ પર CM યોગી આદિત્ય નાથે આરતી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં બેસીને ભગવાન રામ,સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભગવાન રામ-સીતાની આરતી ઉતારી હતી. આ ઉજવણીમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ જોડાયા હતા. CM યોગી આદિત્યનાથે લોકોને સંબોધન કરી દિવાળીની શુભેચ્છા પાઠવી.
અયોધ્યા નગરીને દિવ્ય બનાવવા જ્યારે એક સાથે 5.51 હજાર દીવડાઓ પ્રગટ્યા તો સંપૂર્ણ નજારો રામમય થઈ ગયો હતો અને દરેક લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. આ દિવાળી અયોધ્યા જ નહીં દેશના કરોડો રામ ભક્તો માટે ખાસ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]