કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શ્રીનગરમાં કૃષિ સ્ટાર્ટઅપ્સ અને ખેડૂતો માટે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, યુવાનોએ કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બનીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય
Union Minister - Jitendra Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 10:32 PM

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Union Minister Jitendra Singh) શુક્રવારે શ્રીનગરમાં કૃષિ સ્ટાર્ટઅપ્સ અને ખેડૂતો માટે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, યુવાનોએ કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બનીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ. આ માટે વાલીઓએ પણ પોતાના બાળકોને સરકારી નોકરીને બદલે આ ક્ષેત્રમાં પોતાની રોજગારી સ્થાપિત કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.

જિતેન્દ્ર સિંહે આરોપ લગાવ્યો કે અગાઉની સરકારોએ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ની પ્રગતિની અવગણના કરી છે. અહીં સ્ટાર્ટઅપ જેવા કાર્યક્રમોને લોકોથી દૂર રાખવામાં આવ્યા છે. અહીં ઉદ્યોગો સ્થાપવાની અપાર સંભાવનાઓ હતી, પરંતુ સરકારોની ઉદાસીનતાના કારણે રાજ્યમાં ખાસ કંઈ થઈ શક્યું નથી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં રોજગારી પેદા કરવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પહેલા ખેડૂતોને હવામાન પર નિર્ભર રહેવું પડતું હતું. પણ હવે સમય બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ખેતીને પ્રોત્સાહિત કરવા માટે અહીં ઘણું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ સરકારમાં તમામ યુવાનોને સરકારી નોકરી આપવાની ક્ષમતા નથી. પરંતુ જવાબદાર સરકાર યુવાનોને આવા માધ્યમો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાની જાતને સ્થાપિત કરી શકે. હવે સ્થિતિ પહેલા જેવી રહી નથી. તેમણે કહ્યું કે આજનો ખેડૂત એગ્રીકલ્ચર ટેક્નોક્રેટ છે, જે સ્ટાર્ટઅપ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાને આર્થિક રીતે સુધારી શકે છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કૃષિ ક્ષેત્ર હાલમાં તેના સુવર્ણ યુગમાં છે: જીતેન્દ્ર સિંહ

થોડા દિવસ પહેલા જ જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આગામી 25 વર્ષમાં દેશ એક મોટી કૃષિ અને વૈજ્ઞાનિક શક્તિ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે દેશમાં કૃષિ ક્ષેત્ર કેન્દ્ર સરકાર હેઠળ ‘સુવર્ણ યુગ’માં છે. ખેડૂતોને સંબોધતા સિંહે તેમને ખાતરી આપી હતી કે વિજ્ઞાન આધારિત કૃષિ નવીનતાઓ શોધવાની સરકારની અનોખી પહેલ ખેડૂતોની આવકને બમણી કરશે એટલું જ નહીં પરંતુ આઝાદીના 100માં વર્ષમાં 25 વર્ષ પછી ભારતને એક મુખ્ય કૃષિ અને વૈજ્ઞાનિક શક્તિ પણ આપશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે PM કિસાન માન ધન યોજના, PM ફસલ વીમા યોજના, PM કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા, E-NAM જેવી કલ્યાણકારી યોજનાઓ એ કેટલીક પહેલ છે જેણે કૃષિ અને કૃષિ ઉત્પાદનમાં ક્રાંતિ લાવી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત-મૈત્રીપૂર્ણ યોજનાઓ અને કાર્યક્રમોએ કૃષિ ક્ષેત્રને પણ સશક્ત બનાવ્યું છે, સાથે સાથે તે ખેડૂતોને સન્માન આપ્યું છે જેની અગાઉ અભાવ હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે બાયોટેકનોલોજી-ખેડૂત યોજના એ વૈજ્ઞાનિક-ખેડૂત ભાગીદારી છે જે 2017 માં કૃષિ નવીનતા માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય કૃષિ સ્તરે લાગુ કરી શકાય તેવા નવીન ઉકેલો અને તકનીકોની શોધખોળ કરવાનો છે.

આ પણ વાંચો: તાલિબાનના નેતૃત્વમાં ઈસ્લામિક સ્ટેટની દખલગીરી, સર્વોચ્ચ રેન્કમાં સામેલ થયા ગુનેગારો

આ પણ વાંચો: Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, સરકારે કહ્યું-20 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા ભાવ

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">